ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
31 ઓગસ્ટ 2020
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને 18 ઓગસ્ટે કોવિડ બાદની સારસંભાળ માટે દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંપૂર્ણપણે સાજા થયા બાદ આજે સવારે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
નોંધનીય છે કે 2 ઓગસ્ટના રોજ 55 વર્ષીય શાહે ટ્વિટર પર જણાવ્યું હતું કે તેમનો કોવિડ -19 રિપોર્ટ પોઝિટીવ આવતાં એમને સારવાર અર્થે મેદંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને થોડાં દિવસો બાદ આ રોગ માટે નેગેટીવ રિપોર્ટ આવ્યાં બાદ તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ 18 ઓગસ્ટે થાક અને શરીરમાં દુખાવાની ફરિયાદો બાદ તેમને પછીથી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમય દરમ્યાન ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલમાંથી પોતાનું કામકાજ સંભાળી રહયાં હતાં…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com