બોરીવલીની હોસ્પિટલો બદનામ!!! કોરોનાના ઇલાજને નામે લોકોને લુટે છે. અત્યાર સુધી પાંચ હોસ્પિટલોમાં ઈલાજ બંધ. જાણો વિગત..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

17 ઓગસ્ટ 2020 

બોરીવલી અને આસપાસની હોસ્પિટલોમાં કોવિડ-19 ના દર્દીઓ પાસેથી 5 થી 10 ગણા ભાવો વસૂલવામાં આવી રહ્યા છે, એવો આરોપ મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિપક્ષના નેતાઓ એ કર્યો છે.નોંધનીય છે કે મુંબઈ મહાનગર પાલિકામાં પણ શિવસેનાનું જ શાસન છે. આવી હોસ્પિટલોમાં અને કેટલીક ખાનગી હોસ્પિટલોમાં તાત્કાલિક ઓડિટ કરાવવાની માંગ ભાજપના નેતાઓએ કરી છે. 

વિવિધ હોસ્પિટલ દ્વારા પી પી ઇ કિટ માટે બે લાખ રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે સરકારી ગાઇડલાઇન મુજબ એક પી પી ઈ કિટના વ્યક્તિ દીઠ 2700 રૂપિયા થી વધુ વસૂલી શકાતા નથી. આના પરથી જ ખ્યાલ આવે છે કે હોસ્પીટલો ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. જ્યારે બીજી બાજુ એક હોસ્પિટલમાં જે બિલ ની કિંમત બે લાખ રૂપિયા હોવી જોઇએ તેના બદલે 13 થી 17 લાખ રૂપિયા વસૂલવામા આવ્યાં હોવાનો કેસ સામે આવ્યો છે.

 આમ કહી શકાય કે હોસ્પિટલો દ્વારા થતી ઉઘાડી લૂંટ પર બીએમસી ની કોઈ પકડ નથી અને ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ  આરક્ષિત રાખવામાં આવ્યા છે, તેનો કોઈ મતલબ નથી, કારણકે ત્યાં કોઈ ઈલાજ કરવામાં જ આવતો નથી. આમ કહી શકાય કે શિવસેના સાથે મળીને રાજ ચલાવતી મહારાષ્ટ્ર સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More