પાકિસ્તાતનાના આ પૂર્વ ખેલાડીએ અયોધ્યા રામ મંદિર ભૂમિપૂજનને ગણાવ્યું ઐતિહાસિક, કહ્યું- જય શ્રી રામ…જાણો વગતે…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

06 ઓગસ્ટ 2020

ગઈકાલે (5 ઓગસ્ટે) સદીઓથી જોવાયેલી રાહનો અંત આવ્યો. અયોધ્યામાં રામ મંદિરનો પાયો નાખવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રામમંદિરનું ભૂમિપૂજન થયું અને તેમણે મંદિરની આધારશિલા મૂકી હતી. તેની સાથે જ દેશમાં જશ્નનો દોર શરૂ થઈ ગયો છે. ક્યાંક લાડુ વેચવામાં આવી રહ્યા છે, તો દેશવાસીઓએ આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી તેમના ઘરે દીવો પ્રગટાવી કળિયુગમાં ભગવાન રામના વનવાસના અંતના પ્રતીક પર્વ તરીકે ઉજવ્યો હતો. 

દરમિયાન પાકિસ્તાનના પૂર્વ સ્પીનર દાનિશ કનેરિયાએ પણ ભગવાન રામના મંદિરના નિર્માણની શરૂઆત અંગે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. દાનીશે ટ્વીટ કરીને કહ્યું કે, ભગવાન રામ આપણા આદર્શ છે અને આજનો દિવસ દુનિયાભરના હિન્દુઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. આજે સમગ્ર વિશ્વમાં ખુશીની લહેર છે. આ સંપૂર્ણ સંતોષની ક્ષણ છે. જય શ્રી રામ. તેમણે વધુમાં કહ્યું કે 'ભગવાન રામની સુંદરતા તેમના ચરિત્રમાં છે, તેમનાં નામ નહી. પ્રભુ શ્રી રામ જીતના પ્રતિક છે. આજે દુનિયાભરમાં ખુશીની લહેર છે…  

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More