અસ્તિત્વને નાબૂદ કરવા માટે તમામ પ્રયત્નો થયાં છે, પરંતુ રામ તો આપણા હૃદયમાં વસેલાં છે; ભૂમિપૂજન પછી, પીએમ મોદીનો નાદ…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

અયોધ્યા

05 ઓગસ્ટ 2020

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો. લગભગ 40 મિનીટ સુધી ભૂમિપૂજનની તમામ પ્રક્રિયા કર્યા પછી વડા પ્રધાને શુભ મુર્હુતમાં આધારશીલા મૂકી હતી. પીએમ મોદી અયોધ્યા પહોંચીને સૌથી પહેલાં હનુમાનગઢી મંદિરમાં જઈ રામજીના સેવકની આજ્ઞા લીધી હતી.

ભૂમિપૂજનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, આરએસએસના વડા મોહન ભાગવત, યોગ ગુરુ બાબા રામદેવ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી સહિત દેશના વિવિધ ભાગોમાંથી પધારેલાં સંત, ધર્મચાર્ય અને અન્ય અતિથિઓ સહભાગી થયાં હતાં..

આ અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના ચિત્ર વાળી ટપાલ ટીકીટ રજૂ કરી હતી. ત્યાર બાદ ટ્રસ્ટ તરફથી પીએમ મોદીને શીશમના લાકડાંમાંથી બનેલી ભગવાન રામની પ્રતિમા ભેટ ધરવામાં આવી હતી.. અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિપૂજામાં જે 9 પથ્થરોની પૂજા કરવામાં આવી હતી તેની મધ્યમાં આવેલી ખડક એ કુર્મા પથ્થર છે. આ જ ખડકની ટોચ પર રામ બિરાજશે..

અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યા પછી વડા પ્રધાન મોદીએ કહ્યું કે "મારું સૌભાગ્ય છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મને આમંત્રણ આપ્યું અને મને આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવાની તક આપી." પીએમ મોદીએ કહ્યું કે "આજે આખો દેશ રોમાંચિત છે, દરેક હૃદય પુલકિત છે. આજે આખું ભારત ભાવનાશીલ છે. કારણ કે સદીઓની પ્રતીક્ષા આજે પૂરી થઈ રહી છે. પીએમએ કહ્યું કે, ભારત આજે સરયુ નદિના કાંઠે એક સુવર્ણ અધ્યાય બનાવી રહ્યું છે. વઘુમાં પીએમ મોદીએ કહ્યું, "આજે શ્રીરામની ગુંજ માત્ર સીયા-રામની ભૂમિમાં જ નથી સંભળાતી, તે આખા વિશ્વમાં ગુંજી રહ્યું છે. વર્ષોથી કોથળા અને તંબુ નીચે રહેતાં આપણાં રામલાલા હવે ભવ્ય મંદિરમાં રહેશે. આજે રામજન્મભૂમી ખરેખર આંદોલનો અને અશાંતિથી મુક્ત થઈ છે. 

આગળ વડા પ્રધાને કહ્યું, 'રામ મંદિર માટેના આંદોલનમાં સમર્પણ, બલિદાન, સંઘર્ષ અને ઠરાવ હતો. આજે હું તમામ આંદોલનકારીઓને , 130 કરોડ દેશવાસીઓ વતી વંદન કરું છું. જેમના ત્યાગ, બલિદાન અને સંઘર્ષો દ્વારા આ સ્વપ્નન સાકાર થઈ રહ્યું છે. ભગવાન રામની અદભૂત શક્તિ જુઓ.. મકાનો નાશ પામ્યા, અસ્તિત્વને નાબૂદ કરવા માટે ઘણા પ્રયત્નો થયાં, પણ રામ આજે પણ આપણા સંસ્કારનો આધાર છે, તે આપણા મનમાં છે. શ્રી રામ એ ભારતનું ગૌરવ છે, શ્રી રામ એ વ્યક્તિનું ગૌરવ છે…"

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More