આવતા રવિવારથી મુંબઈ શહેરમાં અખબારો શરૂ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ 

1 જૂન 2020 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે જાહેરાત કરી હતી કે, 7 જૂનથી રહેણાંક વિસ્તારમાં અખબાર ડોર-ટુ-ડોર ડિલીવરી આપવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે છાપાં ડિલિવરી કરતાં છોકરાઓને માસ્ક અને હેન્ડ સેનિટાઇસર્સ આપવામાં આવશે. 

અગાઉ અખબારોના વિતરકો સાથેની બેઠકમાં ઠાકરેએ તેમને ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં ડોર-ટુ-ડોર ડિલીવરી પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે. તેમણે કહ્યું કે અખબારની ડિલિવરી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કોરોના વાયરસ અથવા કોવીડ -19 ના ફેલાવોને રોકવા માટે લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે મુંબઇ અને પુણેમાં હાઉસિંગ સોસાયટીઓ અને વસાહતો સહિત વિવિધ સ્થળોએ ડોર-ટુ-ડોર અખબાર પહોંચાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો કારણકે છાપાં કોવીડ -19 ના વાયરસ પહોંચાડવાનું મુખ્ય માધ્યમ બન્યું હતું..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More