તકનીકી ખામીને કારણે મિગ -29 ક્રેશ, પાયલોટ સલામત

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

08 મે 2020 

પંજાબમાં ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થયું છે. શુક્રવારે બપોરે નવાશહેર જિલ્લાના ચુહારપુરમાં મિગ -29 ક્રેશ થયું હતું. જોકે, વિમાન ક્રેશ થતાં પહેલાં પાયલોટ પોતાનો જીવ બચાવી કુદી પડ્યો હતો. હાલ પાયલોટની હાલત ગંભીર છે અને તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.  એસ.બી.એસ.નગરના પોલીસ અધિક્ષકના જણાવ્યા મુજબ શુક્રવારે વાયુસેનાના લડાકુ વિમાન શહીદ ભગતસિંહ નગરના ચૂરાપુર ગામના ખેતરોમાં ક્રેશ થયું હતું. વરિષ્ઠ એસપીના કહ્યાં મુજબ "અમને સવારે 10:30 વાગ્યે અકસ્માત વિશે ખબર પડી. તે જ સમયે જાણ થઈ કે વિમાનચાલક પહેલા જ વિમાનમાંથી સુરક્ષિત બહાર નીકળી ગયો હતો. મિગ -29 દુર્ઘટનાના સમાચાર મળતા નજીકના ગામોના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા જેમણે પોલીસને ફોન કરી દીધો હતો ત્યારબાદ આ સમગ્ર દુર્ઘટના વિશે એરફોર્સને જાણ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યાં મુજબ "આ વિસ્તાર ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત છે અને પઠાણકોટ, આદમપુર સહિત ઘણા એરબેઝ નજીકમાં છે.  આજે તાલીમ માટે આ વિમાન લેવામાં આવ્યું હતું જે દરમિયાન મિગ -29 માં તકનીકી ખામી સર્જાતા વિમાન ક્રેશ થયું હતું"..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More