Site icon

Ajit Pawar Plane Crash Case: રોહિત પવારના ગંભીર આક્ષેપો, અજિત પવારના હેલિકોપ્ટર અકસ્માત પાછળ કાવતરાની આશંકા વ્યક્ત કરી

Ajit Pawar Plane Crash Case: બારામતી પ્લેન દુર્ઘટનામાં કાકાને ખોયા બાદ રોહિત પવારે રજૂ કર્યું ડિટેઈલ પ્રેઝન્ટેશન, અકસ્માતના એક દિવસ પહેલાના ઘટનાક્રમ પર ઉઠાવી શંકા.

Rohit Pawar Raises Serious Questions Over Ajit Pawar’s Plane Crash; Suspects Foul Play and Calls for Investigation

Rohit Pawar Raises Serious Questions Over Ajit Pawar’s Plane Crash; Suspects Foul Play and Calls for Investigation

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન બાદ હવે વિપક્ષ આક્રમક મૂડમાં છે. NCP (SP) નેતા રોહિત પવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અકસ્માત પાછળ કોઈ મોટું કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, આ દુર્ઘટનામાં તેમણે પોતાના કાકા અને મહારાષ્ટ્રે એક નેતા ગુમાવ્યા છે, તેથી તમામ શંકાઓનું નિરાકરણ આવવું અનિવાર્ય છે.

Join Our WhatsApp Community

ડ્રાઈવરને નિશાન બનાવવું સૌથી સરળ રસ્તો – રોહિત પવાર

રોહિત પવારે એક પુસ્તકનો હવાલો ટાંકીને સનસનાટીભર્યો દાવો કર્યો કે, જો કોઈ વ્યક્તિને મારવો હોય તો તેના ડ્રાઈવરને નિશાન બનાવવો એ સૌથી સરળ રસ્તો હોય છે. પ્લેન ક્રેશના કિસ્સામાં પણ કંઈક આવું જ હોઈ શકે છે તેવી શંકા તેમણે વ્યક્ત કરી છે. તેમણે તપાસ એજન્સીઓ પાસે આ મુદ્દે હકીકત સામે લાવવાની માંગ કરી છે અને દરેક પોઈન્ટના નક્કર પુરાવા હોવાનું પણ જણાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Pakistan Defense Minister Statement: પાકિસ્તાન રક્ષા મંત્રીએ અમેરિકાને લીધું આડે હાથ, સેના પ્રમુખો અને અમેરિકી નીતિ પર સંસદમાં આપ્યું વિવાદાસ્પદ નિવેદન

અકસ્માતના એક દિવસ પહેલા બદલાયો હતો પ્લાન

પ્લેન ક્રેશના સંજોગો પર સવાલ ઉઠાવતા રોહિત પવારે કહ્યું કે, અકસ્માતના એક દિવસ પહેલા અજિત દાદા મુંબઈથી પુણે કાર દ્વારા આવવાના હતા અને તેમનો કાફલો પણ નીકળી ચૂક્યો હતો. પરંતુ અચાનક તેમણે કારની મુસાફરી કેન્સલ કરીને પ્લેનથી આવવાનું કેમ નક્કી કર્યું? તે એક મોટો સવાલ છે. તેમણે વધુમાં દાવો કર્યો કે અજિત પવાર તે સમયે એક ખૂબ જ મોટા નેતાને મળવાના હતા.

NCP ના વિલયની ચર્ચાઓ અને પક્ષમાં મતભેદ

વિપક્ષી નેતાઓનું કહેવું છે કે જે સમયે NCP ના વિલયની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી, તે જ સમયે આ અકસ્માત થવો એ અનેક શંકાઓ જન્માવે છે. જોકે, શરદ પવારે આ ઘટનાને માત્ર એક અકસ્માત ગણાવ્યો છે, પરંતુ તેમની જ પાર્ટીના યુવા નેતા રોહિત પવારના સવાલોથી પક્ષમાં પણ મતભેદની સ્થિતિ જોવા મળી રહી છે. રોહિત પવારે રાજ્ય અને કેન્દ્રની તપાસ એજન્સીઓ પાસેથી સકારાત્મક જવાબની અપેક્ષા વ્યક્ત કરી છે.

Mumbai Jeweller Fraud: મુંબઈમાં હાઈ-પ્રોફાઈલ છેતરપિંડી: કર્ણાટકના મંત્રીને દાગીના બતાવવાના બહાને જ્વેલર પાસેથી ₹૧૧ લાખના ઘરેણાં પડાવી આરોપી ફરાર
Mumbai Cyber Cell : મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડનો પર્દાફાશ: મની લોન્ડરિંગના નામે વૃદ્ધ પાસેથી ₹૧૦ લાખ પડાવનાર બે ઠગ ઝડપાયા, ૧૪ રાજ્યોમાં ફેલાયેલું હતું નેટવર્ક
India’s first musical road : મુંબઈ કોસ્ટલ રોડ પર ગુંજશે ‘જય હો’: ભારતનો પ્રથમ અને વિશ્વનો પાંચમો ‘મ્યુઝિકલ રોડ’ તૈયાર, જાણો કેવી રીતે વાગશે સંગીત
Ranveer Singh Security: રણવીર સિંહના ઘરની સુરક્ષા વધતા સોસાયટીના સભ્યોમાં ફફડાટ: બંદૂકધારી ગાર્ડ્સ જોઈને લોકો ગભરાયા, પરવાનગી વગર તૈનાતી બદલ પોલીસ પાસે માંગ્યો જવાબ
Exit mobile version