Site icon News Continuous Bureau | Mumbai

શું તમને બેંક બેલેન્સ જાણવું છે- બેંક એકાઉન્ટ નંબર યાદ નથી- તો આ રીતે તપાસો

News Continuous Bureau | Mumbai

તમને તમારો બેંક એકાઉન્ટ(bank account) નંબર યાદ નથી અને તમારે ઈમરજન્સીમાં (emergency) તમારું બેંક બેલેન્સ ચેક કરવું છે. એવા સમયે જો તમારી પાસે તમારો આધાર કાર્ડ (Aadhaar Card) છે તો તેના 12 નંબરથી પણ તમે બેંક બેલેન્સ જાણી શકો છો.

Join Our WhatsApp Channel

આધાર કાર્ડ ભારતીય નાગરિકોનું (Indian citizens) એક મહત્વપૂર્ણ ઓળખકાર્ડ માનવામાં આવે છે. આધાર કાર્ડ કેન્દ્ર સરકારની(Central Govt) સંસ્થા UIDAI દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. આધાર કાર્ડ દરેક નાગરિકનું નામ, જન્મ તારીખ, બાયોમેટ્રિક વિગતો(Biometric Data) રેકોર્ડ કરે છે. તમે આધાર કાર્ડ નંબર દ્વારા તમારું બેંક બેલેન્સ પણ ચકાસી શકો છો, તમારે બેંક એકાઉન્ટ નંબરની પણ જરૂર નથી. તમારે ખૂબ જ સરળ પ્રક્રિયાને અનુસરવી પડશે.

આ સમાચાર પણ વાંચો : ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં તેજી દેશમાં સાડીનો કારોબાર રૂ 1 લાખ કરોડને પાર

આધારનો ઉપયોગ બેંક ખાતું ખોલવા, ઇન્કમટેક્સ રિટર્ન (Income Tax) ભરવા, પાન કાર્ડ(PAN card), ડ્રાઇવિંગ લાઇસન્સ, મુસાફરી કરવા માટે, સરકારી કામકાજ માટે, આઇઆરસીટી(IRCTC) દ્વારા ટિકિટ કાઢવા જેવા વિવિધ કાર્યો માટે થાય છે. આધાર નંબર પણ બેંક ખાતા(Bank Account) સાથે લિંક કરવો  જરૂરી છે. ફક્ત 12 અંકના આધાર નંબર દ્વારા, તમે તમારા ખાતામાં જમા થયેલ નાણાંની વિગત જાણી શકો છો.

જેની પાસે ઇન્ટરનેટ નથી અને વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી તેમના માટે આધારકાર્ડ દ્વારા બેંક ખાતાની વિગતો જાણવી ખૂબ ફાયદાકારક છે. બેંક બેલેન્સ તપાસવા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલથી *99*99*1#  પર કોલ કરો. ત્યારબાદ તમારો 12 અંકનો આધાર નંબર નાખવાનું કહેવામાં આવશે, પછી તમારે આ નંબરને ચકાસવા માટે તમારે ફરી આધાર નંબર નાખવો પડશે.

તે પછી તમને UIDAI તરફથી એક સંદેશ મળશે, જેમાં તમે સરળતાથી બેંક બેલેન્સ ચકાસી શકો છો. સરકારી યોજનાઓનો(Government Schemes) લાભ લેવા માટે તમે પૈસા મોકલવા માટે આધાર કાર્ડનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે, UIDAI એ દેશના 53 મોટા શહેરોમાં કુલ 114 આધાર સેવાઓ કેન્દ્ર ખોલવાની યોજના બનાવી છે.
 

Geopolitical Risks vs India PE Deals વૈશ્વિક જોખમો વચ્ચે ભારતીય પ્રાઇવેટ ઇક્વિટી ડીલ્સ પર વૈશ્વિક રોકાણકારોની નજર
Strict SIM Card Limit Enforcement ટેલિકોમ નિયમો બદલાયા ફ્રોડ અટકાવવા માટે સરકારની કડક કાર્યવાહી, ૨૪ ઓગસ્ટથી અમલી બનશે નિયમ.
RBI Central Board Appointment ગર્વની ક્ષણ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા અને રોકેટ સાયન્ટિસ્ટ એસ. સોમનાથને મળી મોટી જવાબદારી, RBI બોર્ડમાં અપાયું સ્થાન.
Sugar Price Surge in India મોંઘવારીનો વધુ એક માર ખાંડના ભાવ ૩ મહિનામાં ૪૦ ટકા વધ્યા, એથેનોલ ઉત્પાદન માટે શેરડીનો વપરાશ કારણભૂત
Exit mobile version