સતત અને સખત નુકસાનને કારણે આ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ની મોબાઈલ માર્કેટમાંથી એક્ઝિટ થશે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 5 એપ્રિલ 2021

સોમવાર

આંતરરાષ્ટ્રીય ખ્યાત નામ દક્ષિણ કોરિયાની કંપની એલજી હવે મોબાઈલ માર્કેટમાંથી એક્ઝેટ કરશે. એટલે કે આવનાર દિવસોમાં એલજી કંપનીના મોબાઈલ બજાર માં નહિ વેંચાય. ગત 6 વર્ષોથી આ કંપનીના મોબાઈલ નું ડિવિઝન સતત નુકસાન કરી રહ્યું છે. અત્યાર સુધી એલજી કંપનીના મોબાઈલ ડિવિઝને ૩૩,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે. આ ઉપરાંત અમેરિકામાં આ કંપની પાસે કુલ ૧૦ ટકા બજાર હિસ્સો છે. જ્યારે કે ભારતમાં એલજી પાસે માત્ર બે ટકા બજાર હિસ્સો છે.

એપલ અને સેમસંગ સામે આ કંપની ટકી શકી નથી. પરિણામ સ્વરૂપ કંપનીએ નક્કી કર્યું છે કે તે પોતાનું મોબાઈલ ડિવિઝન બંધ કરી નાખશે.

Breaking news : મહારાષ્ટ્રમાં થઈ CBI ની એન્ટ્રી. પરમવીર સિંહ ના આરોપોની તપાસ CBI કરશે. ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી.
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More