હવે આ વેપારી સંગઠને કરી માગણી; કહ્યું થયેલા નુકસાનનું વળતર આપે સરકાર,જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જૂન ૨૦૨૧

મંગળવાર

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ ‘કૈટ’એ લૉકડાઉન દરમિયાન બંધ રહેલી દુકાનોમાં માલને થયેલા નુકસાન માટે દુકાનદારોને વળતર આપવાની માગ સરકાર પાસે કરી છે. ‘કૈટ’ના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યવેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે દુકાનો બંધ હતી એ સમયમાં ઘણો માલ ઉંદરો કાતરી ગયા છે તો અમુકની મુદત પૂરી થઈ ગઈ છે.

જો સરકાર વાવાઝોડાને થયેલા નુકસાન બદલ અસરગ્રસ્તોને વળતર આપે છે તો એ પ્રમાણે વેપારીઓને પણ પંચનામું કરી થયેલા નુકસાન માટે વળતર ચૂકવવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે હાલ વેપારીઓ પાસે નવો માલ ખરીદવા માટે મૂડી નથી. બૅન્કના હપતા ચૂક્વવા પણ ભારે પડે છે. આ સંજોગોમાં અનેક દુકાનો બંધ થવાને આરે ઊભી છે. જો એમ થશે તો અનેક લોકો પોતાનો રોજગાર ગુમાવશે.

બેસ્ટની બસમાં સીટ પ્રમાણે જ મુસાફરો, લાઇનમાં ઊભા રહેલા મુસાફરો થાકી ગયા, બસસ્ટૉપ ઉપર બસ ઊભી જ ન રહી

ઉલ્લેખનીય છે કે તેમના મતે દુકાનદારો લાઇસન્સ ફી ભરતા હોવાથી વળતર ચૂકવવાની જવાબદારી સરકારની છે. વેપારીઓને ફ્રન્ટ લાઇન વર્કરનો દરજ્જો આપી તેમને રસીમાં પણ પ્રાથમિકતા આપવાની માગણી તેમણે કરી છે. થાણે અને નવી મુંબઈ પાલિકાની હદમાં આખો દિવસ દુકાનો ખૂલી રાખવાની પરવાનગી મળતાં કૈટના મહાનગર મહામંત્રી તરુણ જેને સરકારનો આભાર માન્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More