RBIએ આ મહારાષ્ટ્રની વધુ એક બેંકનું લાઇસન્સ કર્યું રદ્દ- જાણો કેવી રીતે મળશે તમારા ખાતામાં ફસાયેલા પૈસા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે પુણે સ્થિત સેવા વિકાસ સહકારી બેંક લિમિટેડનું લાઇસન્સ રદ કર્યું છે કારણ કે ધિરાણકર્તા પાસે પૂરતી મૂડી અને કમાણી કરવાની ક્ષમતા નથી. આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 10 ઓક્ટોબરે બિઝનેસ બંધ થયા બાદ બેંક પોતાનો બિઝનેસ સંપૂર્ણપણે બંધ કરી દેશે.

બેંક દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, લગભગ 99 ટકા થાપણદારો તેમની સંપૂર્ણ થાપણો ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી મેળવવા માટે હકદાર હશે. જણાવી દઈએ કે 14 સપ્ટેમ્બર સુધી DICGC એ કુલ વીમા રકમના 152.36 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : એમેઝોન સેલ – Samsungના આ ફ્લેગશિપ ફોન પર મળે છે 30 ટકા છૂટ- ખરીદી માટેની છે શ્રેષ્ઠ તક

RBI દ્વારા કહેવામાં આવ્યું છે કે, બેંક પાસે પૂરતી મૂડી અને આવકની સંભાવના નથી. ભારતીય રિઝર્વ બેંક દ્વારા એવી પણ જાણ કરવામાં આવી છે કે તેની વર્તમાન નાણાકીય સ્થિતિ ધરાવતી બેંક તેના હાલના થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ રહેશે. RBIએ કહ્યું કે, સેવા વિકાસ સહકારી બેંકને બેંકિંગ વ્યવસાય કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમાં તાત્કાલિક અસરથી થાપણો સ્વીકારવી અને થાપણોની ચુકવણીનો સમાવેશ થાય છે.

આરબીઆઈના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના કોઓપરેટિવ કમિશનર અને કોઓપરેટિવ સોસાયટીઝના રજિસ્ટ્રારને પણ બેંકને બંધ કરવાનો આદેશ જારી કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવા માટે કહેવામાં આવ્યું છે. બેંકના લિક્વિડેશન પછી, દરેક થાપણદાર DICGC પાસેથી તેની જમા રકમના રૂ.5 લાખ સુધીની ડિપોઝિટ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર બનશે.

આ સમાચાર પણ વાંચો : IDBI બેંક -માર્કેટમાં મંદી પર આ બેંકના શેરમાં થયો જોરદાર ઉછાળો- રોકાણકારોને 5000 કરોડથી વધુનો ફાયદો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More