News Continuous Bureau | Mumbai
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ACC અને અંબુજા સિમેન્ટને $6.5 બિલિયનમાં ખરીદી હતી. ત્યારે આ કંપનીઓનું હેડક્વાર્ટર મુંબઈમાં હતું. આ કંપનીઓના હસ્તાંતરણ પછી, તેમના મુખ્ય વિભાગોની કામગીરી અમદાવાદ માં ખસેડવામાં આવી હતી. આથી આ કંપનીઓની વહીવટી કામગીરી અમદાવાદથી કરવામાં આવી રહી છે.
કંપનીની સ્થિતિ એવી છે કે કંપનીના ઘણા વરિષ્ઠ અધિકારીઓ અમદાવાદમાં છે અને તેમના જુનિયર અધિકારીઓ મુંબઈમાં છે. તેથી તેઓને વારંવાર એક શહેરમાંથી બીજા શહેરમાં જવું પડે છે.
અધિકારીઓ અને કર્મચારીઓ પર તણાવ વધશે
કંપનીઓની વહીવટી કામગીરી બે શહેરો વચ્ચે વિભાજિત થતી હોવાથી અધિકારીઓ અને કર્મચારીઓ તણાવમાં છે. બંને કંપનીઓ મળીને મુંબઈમાં લગભગ 10 હજાર મેનપાવર કામ કરે છે. ACCમાં 6,000 કર્મચારીઓ છે જ્યારે અંબુજા સિમેન્ટમાં 4,700 કર્મચારીઓ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ક્રાઇમ ન્યૂઝ : ફાટેલી નોટ આપવામાં આવતા ગ્રાહક ગુસ્સે; દુકાનદારના શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી.