FMCG સેક્ટરની કંપની અદાણી વિલ્મરે તેની ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ 9 વિવિધ પ્રકારના કુદરતી કઠોળ લોન્ચ કર્યા છે. આ કઠોળમાં અરહર દાળ, મૂંગ દાળ, ચણાની દાળ, મસૂર દાળ (આયાતી મસૂર મલકા), કાબુલી ચણા, રાજમા ચિત્રા, કાલા ચણા, સોના મૂંગ દાળ અને મસૂલ મલકા (દેશી)નો સમાવેશ થાય છે. આ બ્રાન્ડનો હેતુ ગ્રાહકોની પસંદગી મુજબ કઠોળની સંપૂર્ણ શ્રેણી શરૂ કરીને ભારતના ઉત્તર અને પૂર્વીય રાજ્યોમાં મજબૂત પ્રાદેશિક હાજરી સ્થાપિત કરવાનો છે.
વિનીત વિશ્વમ્ભરન, એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ, માર્કેટિંગ એન્ડ સેલ્સ, અદાણી વિલ્મરએ જણાવ્યું હતું કે,
અમે પ્રાદેશિક પ્રાસંગિકતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને સ્થાનિક રુચિ સાથે મેળ ખાતા ઉત્પાદનો દ્વારા ફોર્ચ્યુન પર ગ્રાહકોને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમારા ખાદ્ય ઉત્પાદનોમાં ઉપભોક્તાનો વિશ્વાસ પુનઃપ્રાપ્ત કરવા અને ફોર્ચ્યુનના વ્યવસાયને ખાદ્ય તેલથી આગળ લઈ જવાની દિશામાં આ એક પગલું છે. અમારા ગ્રાહકોને વાજબી ભાવે પ્રીમિયમ ગુણવત્તા યુક્ત ખાદ્ય ઉત્પાદનો ઓફર કરીને ફોર્ચ્યુનને વિશ્વસનીય બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવાનો અમારો હેતુ છે.”
કંપનીએ જણાવ્યું કે આ તમામ દાળના પેકેટ ગ્રાહકોને 500 ગ્રામ અને 1 કિલોગ્રામ ના પેકેટ માં ઉપલબ્ધ થશે. ભારતના ઉત્તર અને પૂર્વીય રાજ્યોમાં અગ્રણી કરિયાણાની દુકાનો ઉપરાંત, તેઓ ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા પણ વેચવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : કોલા માર્કેટમાં હરીફાઈ શરૂ, મુકેશ અંબાણીની Campa Cola લોન્ચ થતા આ કંપનીએ ઘટાડ્યા ભાવ…
અગાઉ, અદાણી વિલ્મરે આ મહિનાની શરૂઆતમાં ‘કોહિનૂર હૈદરાબાદી બિરયાની કિટ’ લોન્ચ કરી હતી જે તેના તૈયાર-ટુ-કુક સેગમેન્ટમાં વિસ્તરણના ભાગરૂપે હતી. કિટનો હેતુ બિરયાનીના શોખીનોને માત્ર 30 મિનિટમાં રેસ્ટોરન્ટની ગુણવત્તાયુક્ત બિરયાની તૈયાર કરવામાં મદદ કરવાનો છે.
દરમિયાન, અદાણી વિલ્મરનો શેર NSE પર 1.63% વધીને શુક્રવારે, 17 માર્ચે રૂ. 427.50 પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં ઉચ્ચ વોલેટિલિટી વચ્ચે કંપનીના શેરમાં 0.54%નો ઘટાડો થયો છે.