Site icon News Continuous Bureau | Mumbai

Air India Flight Cancellation 2026। પાકિસ્તાનનું એરસ્પેસ બંધ! એર ઈન્ડિયાએ રોજની ૧૦૦ ઉડાન રદ કરી, કારણ જાણીને ચોંકી જશો

Air India Flight Cancellation 2026। જેટ ફ્યુઅલના ભાવમાં ઉછાળો અને ઓપરેશન ખર્ચ વધતા એર ઈન્ડિયાનો મોટો નિર્ણય; શિકાગો, સિંગાપોર અને શાંઘાઈ જેવા ૧૦૦ રૂટ પરની ફ્લાઈટ્સ જૂનથી બંધ.

Air India Flight Cancellation 2026। પાકિસ્તાનનું એરસ્પેસ બંધ! એર ઈન્ડિયાએ રોજની ૧૦૦ ઉડાન રદ કરી, કારણ જાણીને ચોંકી જશો

Air India Flight Cancellation 2026। પાકિસ્તાનનું એરસ્પેસ બંધ! એર ઈન્ડિયાએ રોજની ૧૦૦ ઉડાન રદ કરી, કારણ જાણીને ચોંકી જશો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Air India Flight Cancellation 2026। ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરનારા પ્રવાસીઓને મોટો ઝટકો આપ્યો છે. વૈશ્વિક સ્તરે વિમાન ઈંધણ (Jet Fuel) ના ભાવમાં થયેલો તોતિંગ વધારો અને ઈરાન જંગને કારણે સર્જાયેલા આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયાએ જૂન મહિનાથી આગામી ત્રણ મહિના માટે પોતાની ૧૦૦ જેટલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરવાનો અથવા ઘટાડવાનો નિર્ણય લીધો છે.

શિકાગો અને સિંગાપોર સહિતના રૂટ પ્રભાવિત

એર ઈન્ડિયાએ દિલ્હી હબથી અનેક મહત્વના રૂટ પર પોતાની સેવાઓ સ્થગિત કરી દીધી છે. જેમાં શિકાગો, નેવાર્ક, સિંગાપોર અને શાંઘાઈ જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સેન ફ્રાન્સિસ્કો, પેરિસ અને ટોરન્ટો જેવા શહેરો માટેની ફ્લાઈટ્સની સંખ્યા (Frequency) માં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. એરલાઈન માટે મોંઘા ઈંધણ અને એરસ્પેસ પ્રતિબંધોને કારણે આ રૂટ હવે ‘ખોટનો સોદો’ બની ગયા છે.

ઈંધણના ભાવમાં ‘ડબલ એટેક’

૮ મે ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિમાન ઈંધણની વૈશ્વિક સરેરાશ કિંમત ૧૬૨.૮૯ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જે ફેબ્રુઆરીના અંતમાં માત્ર ૯૯.૪૦ ડોલર હતી. કોઈ પણ એરલાઈનના સંચાલન ખર્ચમાં ઈંધણનો હિસ્સો લગભગ ૪૦% હોય છે. એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને કર્મચારીઓને જણાવ્યું કે પીક ટ્રાવેલ સીઝન દરમિયાન આ કાપ મૂકવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.

પાકિસ્તાની એરસ્પેસ બંધ હોવાનો માર

એર ઈન્ડિયાને ઈન્ડિગો જેવી હરીફ કંપનીઓ કરતા વધુ નુકસાન થઈ રહ્યું છે, કારણ કે પાકિસ્તાની એરસ્પેસ બંધ હોવાને કારણે યુરોપ અને ઉત્તર અમેરિકા જતી ફ્લાઈટ્સને લાંબા રસ્તેથી જવું પડે છે. પાકિસ્તાને ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ રાખવાની મુદત ૨૪ મે ૨૦૨૬ સુધી વધારી દીધી છે. પીએમ મોદીએ પણ ઈરાન યુદ્ધને કારણે ઉદભવેલા સંકટને જોતા દેશવાસીઓને ઈંધણ અને મુસાફરી પર ખર્ચ ઘટાડવાની અપીલ કરી છે.

👉 આ સમાચાર વાચો:
Prateek Yadav Death News। શું પારિવારિક કલેશને કારણે પ્રતીક યાદવે લીધું અંતિમ ડગલું? જિમ મિત્રએ વર્ણવી આપવીતી ‘છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ પરેશાન હતા’; જાણો અંદરની વાત

Vadilal Family Dispute વાડીલાલ પરિવારમાં ફરી વિવાદ બ્રાન્ડના અધિકારો માટે મુંબઈ અને અમદાવાદ શાખા પહોંચી હાઈકોર્ટમાં
ESIC social security for gig workers ગિગ વર્કર્સ માટે સારા સમાચાર હવે ફૂડ ડિલિવરી પાર્ટનર્સ અને ડ્રાઇવરોને મળશે ESIC નો વીમા સુરક્ષા કવચ
FSSAI vs Misleading Food Claims ‘૧૦૦% નેચરલ’ કે ‘હેલ્ધી’ શબ્દો પાછળનું સત્ય શું? ગ્રાહકોને ગુમરાહ કરતી કંપનીઓ સામે સરકાર લાલઘૂમ
No Deal Without Tariff Advantage અમેરિકા સાથેના વેપાર કરાર માટે પીયૂષ ગોયલની સ્પષ્ટ શરત ‘ટેરિફ એડવાન્ટેજ’ વિના કોઈ સોદો નહીં
Exit mobile version