Akshaya Tritiya: આજે સોનાના દાગીના ખરીદતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, તમારી સાથે છેતરપિંડી નહીં થાય, નુકસાનથી બચી જશો..

Akshaya Tritiya: આજે અક્ષય તૃતીયાના દિવસને નવા કામકાજની શરૂઆત, રોકાણ અને લગ્ન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સંસ્કૃત શબ્દ અક્ષયનો અર્થ એવો થાય છે જે ક્યારેય ઘટતો નથી. એટલા માટે આ દિવસે શરૂ કરેલ કામ હંમેશા સફળ રહે છે. તેથી અક્ષય તૃતીયાના દિવસે લોકો સામાન્ય રીતે સોનું પણ ખરીદે છે.

by Bipin Mewada
Akshaya Tritiya Pay special attention to these things while buying gold jewelry, you will not be cheated, avoid losses.

News Continuous Bureau | Mumbai

Akshaya Tritiya: દેશમાં હાલ સોનાના ભાવમાં ગત વર્ષથી સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં 2024માં સોનાના ( Gold ) ભાવ નવા રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. સમગ્ર ભારતમાં સોનું ખરીદવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને લગ્નો અથવા તહેવારો દરમિયાન, સોનાના ઘરેણાં મોટા પ્રમાણમાં ખરીદવામાં આવે છે. અક્ષય તૃતીયા, જેને અખાતિઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આજે શુક્રવારે, 10 મેના રોજ દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. 

આજે અક્ષય તૃતીયાના દિવસને નવા કામકાજની શરૂઆત, રોકાણ અને લગ્ન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સંસ્કૃત શબ્દ અક્ષયનો અર્થ એવો થાય છે જે ક્યારેય ઘટતો નથી. એટલા માટે આ દિવસે શરૂ કરેલ કામ હંમેશા સફળ રહે છે. તેથી અક્ષય તૃતીયાના દિવસે લોકો સામાન્ય રીતે સોનું ( gold price ) પણ ખરીદે છે. જો તમે પણ અક્ષય તૃતીયા પર સોનાના દાગીના ( Gold jewelry ) ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક બાબતો વિશે જાણવું ખુબ જ જરૂરી છે. જેથી તમે કોઈપણ રીતે છેતરાઈ ન જાઓ.

Akshaya Tritiya: હોલમાર્કેડ ( Hallmark ) જ્વેલરી ખરીદો

સૌપ્રથમ તો માત્ર હોલમાર્કવાળા સોનાના દાગીના જ ખરીદો. BIS હોલમાર્ક દાગીના સોનાની શુદ્ધતાનું પ્રતીક છે.

Akshaya Tritiya: 24 કેરેટ સોનાની શુદ્ધતા તપાસો

એટલે કે 999 સોનું સૌથી શુદ્ધ છે. સોનાના દાગીના સામાન્ય રીતે 18 થી 22 કેરેટમાં બનાવવામાં આવે છે. જેમાં અન્ય ધાતુઓનું મિશ્રિત કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનાના સિક્કા, દાગીના શુદ્ધ શુદ્ધ સોના તરીકે વેચાણ માટે ઉપલબ્ધ રહે છે.

આ સમાચાર પણ વાંચો:  Akshay Tritaya : અક્ષયતૃતીયા ( અખાત્રીજ ) નું મહત્વ શુ છે..??

Akshaya Tritiya: મેકિંગ ચાર્જની વાટાઘાટ કરો

સોનાના દાગીના ખરીદતી વખતે હંમેશા મેકિંગ ચાર્જ માટે વાટાઘાટો કરો કારણ કે મોટાભાગના ઝવરીઓ વાટાઘાટો પછી મેકિંગ ચાર્જની કિંમત ઘટાડે છે. નોંધ કરો કે દાગીનાની કુલ કિંમતના માત્ર મેકિંગ ચાર્જિસ 30 ટકા જેટલો હિસ્સો ધરાવે છે જે સુવર્ણકારને લાભ આપે છે. તેથી ઝવેરીઓ સાથે વાટાઘાટો કરીને થોડો ફાયદો મેળવી શકાય છે.

Akshaya Tritiya: સોનાનું વજન યોગ્ય રીતે તપાસો

સોનું ખરીદતી વખતે તેનું વજન પણ તપાસવું જરૂરી છે. વજનમાં થોડી વધઘટ પણ સમસ્યાઓ ઊભી કરી શકે છે.

Akshaya Tritiya: ઝવેરી પાસેથી બિલ મેળવો

સોનું ખરીદ્યા પછી, ઝવેરી ( Gold jeweler )  પાસેથી બિલ મેળવવાનું ભૂલશો નહીં અને ખાતરી કરો કે બિલમાં મેકિંગ ચાર્જ અને GST સંબંધિત તમામ જરૂરી માહિતી શામેલ છે. સોનું ખરીદતી વખતે તમારી સાથે નિશ્ચિત બિલ રાખો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More