Pension Scheme: કર્મચારી પેન્શન યોજના 1995માં સુધારો,આ સુધારાથી દર વર્ષે 7 લાખથી વધુ ઇપીએસ સભ્યોને લાભ થશે

Pension Scheme: કર્મચારી પેન્શન યોજના 1995માં સુધારો કરીને 6 મહિનાથી ઓછી સેવા ધરાવતા સભ્યોને ઉપાડનો લાભ પ્રદાન કરવામાં આવ્યો, આ સુધારાથી દર વર્ષે 7 લાખથી વધુ ઇપીએસ સભ્યોને લાભ થશે. સરકારે ઉપાડના લાભની વાજબી ચુકવણી સુનિશ્ચિત કરવા માટે કોષ્ટક ડીમાં પણ ફેરફાર કર્યો છે; આ સુધારાનો લાભ 23 લાખથી વધુ સભ્યોને મળશે

by Hiral Meria
Amendment of Employees Pension Scheme 1995, this amendment will benefit more than 7 lakh EPS members every year.

 News Continuous Bureau | Mumbai

Pension Scheme: ભારત સરકારે કર્મચારી પેન્શન યોજના (ઇપીએસ), 1995માં સુધારો કર્યો છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે 6 મહિનાથી ઓછી પ્રદાનકર્તા સેવા ધરાવતા ઇપીએસ સભ્યોને ( EPS members ) પણ ઉપાડનો લાભ મળે. આ સુધારાથી દર વર્ષે 7 લાખથી વધુ ઇપીએસ સભ્યોને લાભ થશે જેઓ 6 મહિનાથી ઓછી ફાળો આપનારી સેવા સાથે યોજના છોડી દે છે. 

વધુમાં, કેન્દ્ર સરકારે ( Central Government ) કોષ્ટક ડીમાં ફેરફાર કર્યો છે અને એ સુનિશ્ચિત કર્યું છે કે સભ્યોને સપ્રમાણ ઉપાડનો લાભ આપવા માટે સેવાના દરેક પૂર્ણ થયેલા મહિનાને ધ્યાનમાં લેવામાં આવે. ઉપાડના લાભની રકમનો આધાર હવેથી સભ્ય દ્વારા પૂરી પાડવામાં આવેલી સેવાના પૂર્ણ થયેલા મહિનાઓની સંખ્યા અને ઈપીએસ યોગદાન કયા વેતન પર પ્રાપ્ત થયું હતું તેના પર રહેશે. ઉપરોક્ત પગલાએ સભ્યોને ઉપાડના લાભની ચુકવણીને તર્કસંગત બનાવી છે. એક અંદાજ મુજબ દર વર્ષે 23 લાખથી વધુ સભ્યોને ટેબલ ડીના આ સુધારાનો લાભ મળશે.

દર વર્ષે, લાખો ઇપીએસ ( Employee Pension Scheme ) 95 સભ્યો પેન્શન ( Pension  ) માટે જરૂરી 10 વર્ષની ફાળો આપનારી સેવા આપતા પહેલા આ યોજના છોડી દે છે. આવા સભ્યોને યોજનાની જોગવાઈઓ અનુસાર ઉપાડનો લાભ આપવામાં આવે છે.

નાણાકીય વર્ષ 2023-24માં 30 લાખથી વધુ ઉપાડ લાભ દાવાઓની પતાવટ કરવામાં આવી હતી.

અત્યાર સુધી, ઉપાડ લાભની ગણતરી પૂર્ણ થયેલા વર્ષોમાં ફાળો આપનાર સેવાના સમયગાળા અને જે વેતન પર ઇપીએસ યોગદાન ચૂકવવામાં આવ્યું છે તેના આધારે કરવામાં આવતી હતી.

આ સમાચાર પણ વાંચો : Amarnath Yatra: પ્રધાનમંત્રીએ અમરનાથ યાત્રાના પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી

તેથી, ફાળો આપનારી સેવાના 6 મહિના અને તેથી વધુ સમય પૂર્ણ કર્યા પછી જ, સભ્યો આવા ઉપાડ લાભ માટે હકદાર હતા. પરિણામે, 6 મહિના કે તેથી વધુ સમય માટે ફાળો આપતા પહેલા સભ્યો યોજના છોડી દે છે, તેમને ઉપાડનો કોઈ લાભ મળતો ન હતો. આ ઘણા દાવાના અસ્વીકારો અને ફરિયાદોનું કારણ હતું કારણ કે ઘણા સભ્યો ફાળો આપનાર સેવાના 6 મહિનાથી ઓછા સમય વિના બહાર નીકળી રહ્યા હતા. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન, ફાળો આપનારી સેવા 6 મહિનાથી ઓછી હોવાને કારણે ઉપાડ લાભો માટેના આશરે 7 લાખ દાવાઓને નકારી કાઢવામાં આવ્યા હતા. હવેથી, આવા તમામ ઇપીએસ સભ્યો કે જેઓ 14.06.2024 ના રોજ 58 વર્ષની વય પ્રાપ્ત કરી શક્યા નથી, તેઓ ઉપાડ લાભ માટે હકદાર બનશે.

અગાઉ, અગાઉના કોષ્ટક D હેઠળની ગણતરીમાં દરેક પૂર્ણ વર્ષ પછી 6 મહિના કરતાં ઓછા સમય માટે આપવામાં આવતી સેવાના અપૂર્ણાંક સમયગાળાને અવગણવામાં આવતો હતો. આના પરિણામે ઘણા કેસોમાં ઉપાડના લાભની રકમ ઓછી થઈ. કોષ્ટક D ના ફેરફાર સાથે, ઉપાડ લાભની ગણતરી કરવા માટેની યોગદાન સેવા હવે પૂર્ણ થયેલા મહિનામાં ધ્યાનમાં લેવામાં આવશે. આ ઉપાડના લાભની વાજબી ચુકવણીની ખાતરી કરશે. દા.ત. 2 વર્ષ અને 5 મહિનાની યોગદાન સેવા અને વેતન 15,000/- પ્રતિ મહિના પછી ઉપાડનો લાભ લેનાર સભ્ય અગાઉ રૂ. 29,850/- ઉપાડ લાભ માટે હકદાર હતો. હવે તેને રૂ. 36,000/- ઉપાડનો લાભ મળશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More