Site icon News Continuous Bureau | Mumbai

અનિલ અંબાણીને મોદી સરકારે આપ્યો ઝટકો.. ઇન્ડિયન નેવીએ 2500 કરોડનો ઑર્ડર કેન્સલ કર્યો…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

10 ઓક્ટોબર 2020

ભારતીય નૌસેનાએ રિલાયન્સ નેવલ અને એન્જિનિયરિંગ લિમિટેડના (આરએનએલ) રૂ. 2,500 કરોડના નેશનલ ઓફશોર પેટ્રોલિંગ જહાજો (એનપીવી) ના કરારને રદ કર્યો છે, સૂત્રોએ જણાવ્યું કે, જહાજોની ડિલિવરીમાં વિલંબ થતાં આ કરાર રદ કરવામાં આવ્યો છે.

રિલાયન્સ ગ્રુપે તેના પૂર્વ માલિક નિખિલ ગાંધી પાસેથી ગુજરાત સ્થિત શિપયાર્ડનો હવાલો સંભાળ્યો તેના ઘણા સમય અગાઉ, 2011 માં પાંચ યુદ્ધ જહાજો બનાવવાનો કરાર કંપની સાથે કરવામાં આવ્યો હતો.

રિલાયન્સ ગ્રૂપે 2015 માં પીપાવાવ ડિફેન્સ અને ઓફશોર એન્જિનિયરિંગ લિમિટેડનો કાર્યભાર સંભાળ્યો હતો અને બાદમાં તેનું નામ બદલીને રિલાયન્સ નેવલ અને એન્જિનિયરિંગ લિમિટેડ (આરએનએલ) રાખ્યું હતું.

એનઓપીવી કરાર રદ થવાને કારણે આરએનએલની બોલી લગાવવાની પ્રક્રિયા પર અસર થઇ છે અને હાલ આ મામલો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) માં કોઈ ઉકેલ લાવવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે આરએનએલ પર 11,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું બોલાય છે.

India Tension Russian Oil Sanctions Trump Game ટ્રમ્પના એક નિર્ણયથી ભારતની મુશ્કેલીઓ વધશે! રશિયન ઓઇલ પર પ્રતિબંધોનો નવો પ્લાન તૈયાર, વૈશ્વિક રાજકારણ ગરમાયું
RBI New Guidelines RBI New Guidelines બેંકિંગ સેક્ટરમાં પારદર્શિતાનો યુગ ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને માહિતી પર RBIની લાલ આંખ.
SGB Returns ગોલ્ડ બોન્ડમાં રોકાણની કમાલ 1 લાખના રોકાણ પર 219% વળતર, રોકાણકારોના નાણાં વધીને થયા 3.19 લાખ
Reliance Industries Update રિલાયન્સની AGM પહેલા શેરમાં જોરદાર ઉછાળો મુકેશ અંબાણીની મોટી જાહેરાતો પર રોકાણકારોની નજર, માર્કેટ કેપ 18 લાખ કરોડને પાર
Exit mobile version