વર્ષોથી અટવાયેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મુક્ત વેપાર નીતિ અંતિમ તબક્કામાં? ઓસ્ટ્રેલિયન વેપાર પ્રધાને આપ્યા આ સંકેત; જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ઑસ્ટ્રેલિયા ભારત સાથે મુક્ત વેપારની નીતિ ફાઇનલ કરવાના લગભગ અંતિમ તબક્કામાં છે. બહુ જલદી બંને દેશો વચ્ચે મુક્ત વેપાર ચાલુ થઈ જશે એવી શક્યતા છે. બંને દેશો એકબીજા સાથે આગામી દિવસોમાં સંભવિત જાહેરાત સાથે મુક્ત-વ્યાપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની અણી પર છે. માનવા મુજબ ઓસ્ટ્રેલિયામાં  અપેક્ષિત મેની ચૂંટણીમાં બે મહિના કરતાં ઓછા સમય બાકી રહ્યો હોઈ તે પહેલાં સોદો થઈ જાય એવા સરકારના પ્રયાસ છે.

ઓસ્ટ્રેલિયન વેપાર પ્રધાન ડેન તેહાને એક મિડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂ મુજબ તેઓ અને તેમના ભારતીય સમકક્ષ પીયૂષ ગોયલ દરરોજ મળતા હતા અને સોદા સુધી પહોંચવાની ખૂબ નજીક પહોંચી ગયા છે. ટૂંક સમયમાં તેને લગતી  જાહેરાત થઈ શકે છે.

તેમણે એક મિડિયા હાઉસને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, "અમારા બંને દેશના રાષ્ટ્રીય હિતમાં હોય એવા અમે એક કરાર કરવાના પ્રયાસમાં છીએ. તે માટે બંને પક્ષો ઉત્સાહપૂર્વક કામ કરી રહ્યા છે."

આ સમાચાર પણ વાંચો : બોમ્બે સ્ટોક એક્સચેન્જે ચાલુ કરી નવા MD શોધ, આટલા વર્ષ માટે આવશે નવા MD.. જાણો વિગતે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુક્ત વેપાર કરારને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, જેની વાટાઘાટો 2011 માં શરૂ થઈ હતી અને ચાર વર્ષ પછી 2015 માં સ્થગિત કરવામાં આવી હતી. છેલ્લે 2020 માં, દિલ્હી અને કેનબેરા વચ્ચેના ગરમ સંબંધો વચ્ચે, વડા પ્રધાનો સ્કોટ મોરિસન અને નરેન્દ્ર મોદી વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા હતા.

ઓસ્ટ્રેલિયન સરકાર અનુસાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિ-માર્ગીય વેપાર 2020માં A$24.3 બિલિયન (18.3 બિલિયન ડોલર)નો હતો, જે 2007માં માત્ર $13.6 બિલિયન હતો. નિષ્ણાંતોના કહેવા મુજબ  મુખ્ય મુદ્દાઓમાંનો એક કૃષિ છે, ઓસ્ટ્રેલિયા ભારતીય બજારમાં પ્રવેશ મેળવવા માંગે છે, પરંતુ મોદીની સરકાર તેના સ્થાનિક ખેડૂતો – એક મોટી મત બેંક – જોખમમાં મૂકવા માટે અનિચ્છા ધરાવે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More