Site icon News Continuous Bureau | Mumbai

Bank Locker Rules: નવા વર્ષમાં બદલાશે બેંક લોકરના આ નિયમો; 31 ડિસેમ્બર સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવા RBIનો આદેશ..

Bank Locker Rules: દેશની મોટાભાગની મોટી બેંકો કેટલીક શાખાઓમાં તેમના ગ્રાહકોને લોકરની સુવિધા પૂરી પાડે છે, લોકરના સ્થાન અને કદના આધારે શુલ્ક લાગુ થાય છે. બેંક લોકરને કોઈપણ કિંમતી ચીજવસ્તુઓ રાખવા માટે સુરક્ષિત સ્થાન માનવામાં આવે છે. નવા વર્ષમાં બેંકના લોકરની સુવિધામાં ફેરફાર થશે જે ગ્રાહકોના સામાનને વધુ સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

Bank Locker Rules December 31 last date to renew bank locker

Bank Locker Rules December 31 last date to renew bank locker

 News Continuous Bureau | Mumbai  

Bank Locker Rules: વર્ષ 2023ને ખતમ થવામાં હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી, 2024થી બેંક લોકર્સના નિયમોમાં ફેરફાર થશે. એટલે ભારતીય રિઝર્વ બેંક ( RBI ) એ બેંકોને 31 ડિસેમ્બર 2023 સુધીમાં બેંક ખાતા ધારકની નવીકરણ પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. નવીકરણ પ્રક્રિયામાં, લોકર ધારકે નવા બેંક લોકર કરાર ( Bank locker Paper ) પર હસ્તાક્ષર કરવા પડશે. જે 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવશે.

Join Our WhatsApp Channel

બેંકો ભજવે છે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા 

આજના ડીજીટલ યુગમાં ઘણા લોકો ઘરમાં પૈસા રાખવાનું પસંદ કરતા નથી. આ માટે, એક વિકલ્પ તરીકે બેંક લોકરનો ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરમાં ઓનલાઈન પેમેન્ટ ( Online payment ) પણ ગ્રાહકો માટે અનુકૂળ વિકલ્પ તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ માટે બેંકો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કઈ બેંક પસંદ કરવી તે સંપૂર્ણપણે ગ્રાહક પર નિર્ભર છે, પરંતુ તે બેંકના નિયમો રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવે છે. તે જ પૃષ્ઠભૂમિમાં, રિઝર્વ બેંક દ્વારા લોકર ( Bank Locker ) ની સુવિધા સંબંધિત નિયમો તાજેતરમાં નક્કી કરવામાં આવ્યા છે. આ નિયમ પહેલા પણ હતો, પરંતુ હવે તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.

શું છે બેંક લોકર્સનો નવો નિયમ?

RBI દ્વારા ગ્રાહકોની સુરક્ષા માટે આ ફેરફારો કરવામાં આવ્યા છે. તેના માટે બેંકના લોકર સુવિધા નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. સુધારેલા નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ બેંક લોકરમાં પોતાનો સામાન રાખે છે અને તેને નુકસાન થાય છે, તો બેંક તેને વળતર આપવા માટે જવાબદાર રહેશે. તેથી, બેંકના લોકરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુની સંપૂર્ણ જવાબદારી બેંકની રહેશે. આ ઉપરાંત, જો વસ્તુને નુકસાન થાય છે તો બેંકે સંબંધિત ગ્રાહકને લોકર્સ માટે વસૂલવામાં આવતા ભાડાના 100 ગણા ચૂકવવા પડશે. તેમજ બેંકમાં આગ, લૂંટ કે કોઈપણ પ્રકારની આફત આવે તો લોકરમાં રાખેલી વસ્તુઓને નુકસાન થાય તો તે નુકસાનનું વળતર પણ બેંકે ચૂકવવું પડશે.

આ સમાચાર પણ વાંચો : Special Train: ભુજ-સાબરમતી અને અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેનોના ફેરાનું વિસ્તૃતિકરણ.

નવા નિયમો થી થશે ફાયદો 

તો હવે જો તમે બેંકની લોકર સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે 31મી ડિસેમ્બર પહેલા બેંક લોકર કરાર પર હસ્તાક્ષર કરવા જોઈએ. આરબીઆઈએ બેંકોને આ પ્રક્રિયા 31 ડિસેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. આ કારણે નવા વર્ષમાં ગ્રાહકોને નવા નિયમોના કારણે લોકરની સુવિધામાં ફાયદો થશે અને તેનાથી ગ્રાહકોનો સામાન પણ વધુ સુરક્ષિત રહેશે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

India US Trade Deal ભારતઅમેરિકાની મેગા ટ્રેડ ડીલ સફળતાના આરે કે અટવાઈ ગઈ વાત? જાણો લેટેસ્ટ અપડેટ
Petrol Diesel Price Today Update પેટ્રોલડીઝલના ભાવમાં મોટો ઘટાડો! જાણી લો તમારા શહેરમાં આજે શું છે લેટેસ્ટ રેટ, ક્યાં સસ્તું થયું ઈંધણ?
FPI Investment In Indian Bonds મોદી સરકારની નીતિઓનો જાદુ! વિદેશી રોકાણકારોએ માત્ર ૨૦ જ દિવસમાં ભારતમાં કર્યો રૂપિયાનો વરસાદ, આંકડો જાણીને ચોંકી જશો
MetaCRED Strategic Deal ક્રેડમેટા ડીલ ડેટાની લાલચ નહીં, પણ બીજું કંઈક! ₹૮,૫૫૦ કરોડ રોકાણ પાછળની જુકરબર્ગની ગણતરી.
Exit mobile version