Bharat Bandh 2024: ખેડૂતો અન્નદાતા તો વેપારીઓ છે કરદાતા, ખેડૂતોના ‘ભારત બંધ’ ની નહીં થાય અસર; દેશભરમાં બજારો રહેશે ખુલ્લા..

Bharat Bandh 2024 traders will do their business amid bharat bandh says CAIT

Bharat Bandh 2024 traders will do their business amid bharat bandh says CAIT

News Continuous Bureau | Mumbai

Bharat Bandh 2024: કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT), મહારાષ્ટ્ર રાજ્યના જનરલ સેક્રેટરી અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે 16મી ફેબ્રુઆરીએ ખેડૂતો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધના એલાનમાં વેપારીઓ જોડાશે નહીં અને દેશભરના તમામ બજારો ખુલ્લા રહેશે. તેમજ કારોબાર સામાન્ય રીતે ચાલશે. દેશની સૌથી મોટી વેપાર સંસ્થા CAIT દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

CAIT ના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે ભારત બંધ દરમિયાન વેપારીઓ તેમની સંસ્થાઓ ખુલ્લી રાખશે, જનતાને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.

આ સમાચાર પણ વાંચો : Reliance Foundation: રિલાયન્સ ફાઉન્ડેશન નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે કરી ભાગીદારી, આટલા લાખથી વધુ યુવાઓને થશે ફાયદો

પરિપત્રમાં શંકર ઠક્કરે આગળ જણાવ્યું હતું કે, નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પૂરી પાડીને વેપારીઓ રાષ્ટ્રીય અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખેડૂતો દ્વારા ભારત બંધના એલાન છતાં, અમે અમારા ગ્રાહકોને સેવા આપવા અને આર્થિક સ્થિરતા જાળવવા અમારી દુકાનો ખુલ્લી રાખીશું.

CAIT એ દેશભરના વેપારીઓને સતર્ક રહેવા અને ભારત બંધ દરમિયાન તેમની સંસ્થાઓ અને ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. સંસ્થાએ સભ્યોને સ્થાનિક સત્તાવાળાઓને સહકાર આપવા અને કોઈપણ વિક્ષેપને રોકવા માટે તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે.

 

Exit mobile version