Site icon News Continuous Bureau | Mumbai

આ વસ્તુઓ પર લાદવામાં આવેલા 5 ટકા  GSTના વિરોધમાં વેપારીઓનું આંદોલન- આજે ભારત બંધ- આ દિવસથી GST અમલમાં આવશે

News Continuous Bureau | Mumbai

આવશ્યક ચીજવસ્તુઓ પર GST લાદવાના નિર્ણય સામે વેપારી સંગઠનોએ આજે દેશવ્યાપી બંધનું એલાન કર્યું છે. 18 જુલાઈથી પેક્ડ અનબ્રાન્ડેડ ખાદ્યપદાર્થો, કઠોળ વગેરે પર GST લાગુ કરવામાં આવશે. વેપારી સંગઠનોએ તેનો આકરો વિરોધ કર્યો  છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં આજે એક દિવસીય દેશવ્યાપી બંધ પાળવામાં આવી રહ્યો છે, તેમાં આજે નવી મુંબઈની એપીએમસી બજાર પણ જોડાઈ છે.

Join Our WhatsApp Channel

GST લાગુ થતાંની સાથે જ ખાદ્યઅન્ન અને ડેરી ઉત્પાદનો મોંઘા થઈ જશે. વેપારીઓનું કહેવું છે કે અનાજ અને કઠોળમાં 8 થી 10 ટકાનો વધારો થશે. મોંઘવારીનો બોજ ગ્રાહકો પર પડશે. ભ્રષ્ટાચાર અને ઈન્સપેકટર રાજ પણ વધશે. તેથી 5 ટકા GST ને પાછો ખેંચવાની માગણી કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : આખરે ગોટબાયા રાજપક્ષેના રાજીનામાનો સ્વીકાર-આ પૂર્વ પ્રધાનમંત્રી બન્યા શ્રીલંકાના અંતરિમ રાષ્ટ્રપતિ-જાણો વિગતે 

વેપારી સંગઠોનોએ આજે જાહેર કરેલા ભારત બંધમાં નવી મુંબઈની એપીએમસી બજારે પણ સમર્થન જાહેર કર્યુ હોવાનું નવી મુંબઈ મર્ચન્ટસ ચેમ્બરે જાહેર કર્યું હતું અને આજે એપીએમસીની તમામ બજારો અને વેપારીઓ આ બંધમાં જોડાશે એવું કહ્યું હતું.

Triple10 Rule of SIP નાની બચત, મોટું ફંડ SIPના આ જાદુઈ નિયમથી તમારા સપના થશે સાકાર, જાણો ગણિત
RBI Penalty on NBFCs RBI નો મોટો એક્શન! મુથૂટ ફાઈનાન્સ સહિત 6 કંપનીઓ પર લાદ્યો દંડ, જાણો કારણ
RBI’s Polymer Currency Initiative 16 વર્ષ, 3 પ્રયાસ… પ્લાસ્ટિક નોટ લાવવા RBI કેમ છે આટલી ગંભીર? જાણો સુરક્ષા અને આયુષ્યના ફાયદા
Youth Unemployment Rate Hits Record યુવા પેઢીના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ 16% નો બેરોજગારી દર સરકાર અને ઉદ્યોગો માટે એલાર્મ બેલ સમાન.
Exit mobile version