Site icon

Central government: મંત્રીમંડળે એપરલ/ગારમેન્ટ્સની નિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના કરવેરા અને લેવીને રિબેટ માટેની યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી

Central government: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પરિધાન/ગારમેન્ટ્સ અને મેડ અપ્સની નિકાસ માટે રાજ્ય અને કેન્દ્રીય કરવેરા અને લેવી (આરઓએસસીટીએલ)ને 31 ટકા સુધી રિબેટ કરવાની યોજના માર્ચ 2026 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી..

Cabinet approves continuation of scheme for rebate of state and central government taxes and levies for export of apparelgarments

Cabinet approves continuation of scheme for rebate of state and central government taxes and levies for export of apparelgarments

News Continuous Bureau | Mumbai 

Central government: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ( union cabinet ) પરિધાન/ગારમેન્ટ્સ અને મેડ અપ્સની નિકાસ માટે રાજ્ય અને કેન્દ્રીય કરવેરા અને લેવી ( ROSCTL ) ને 31 ટકા સુધી રિબેટ કરવાની યોજના માર્ચ 2026 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.. 

Join Our WhatsApp Community

સૂચિત સમયગાળા માટે બે (2) વર્ષ માટે યોજના ચાલુ રાખવાથી સ્થિર નીતિગત વ્યવસ્થા પ્રદાન થશે, જે લાંબા ગાળાના વેપાર આયોજન માટે આવશ્યક છે, ખાસ કરીને ટેક્સટાઇલ્સ ક્ષેત્રમાં ( textiles sector ) , જ્યાં લાંબા ગાળાની ડિલિવરી માટે અગાઉથી ઓર્ડર આપી શકાય છે.

આર.એસ.એસ.સી.ટી.એલ.ને ચાલુ રાખવાથી નીતિગત વ્યવસ્થામાં આગાહી અને સ્થિરતા સુનિશ્ચિત થશે, કરવેરા અને કરવેરાના ભારણને દૂર કરવામાં મદદ મળશે અને “ચીજવસ્તુઓની નિકાસ થાય છે અને સ્થાનિક કર નહીં” એ સિદ્ધાંત પર લેવલ પ્લેઇંગ ફિલ્ડ પ્રદાન કરશે.

કેન્દ્રીય મંત્રીમંડળે 31.03.2020 સુધી આ યોજનાને મંજૂરી આપી હતી અને 31 માર્ચ, 2024 સુધી આરઓએસસીટીએલને ચાલુ રાખવા માટે વધુ મંજૂરી આપવામાં આવી હતી. હાલનું 31 માર્ચ, 2026 સુધીનું વિસ્તરણ ગારમેન્ટ્સ અને મેડ-અપ્સ સેક્ટર્સની નિકાસ સ્પર્ધાત્મકતા વધારવામાં મદદ કરશે. તે પરિધાન/ગારમેન્ટ્સ અને મેડ અપ્સ પ્રોડક્ટ્સને (   Apparel/Garments Export ) ખર્ચ-સ્પર્ધાત્મક બનાવશે અને શૂન્ય-નિર્ધારિત નિકાસના સિદ્ધાંતને અપનાવશે. આર.ઓ.એસ.સી.ટી.એલ. હેઠળ આવરી લેવામાં ન આવેલા અન્ય ટેક્સટાઇલ ઉત્પાદનો (પ્રકરણ 61, 62 અને 63 સિવાય) અન્ય ઉત્પાદનો સાથે આરઓડીટીઇપી હેઠળ લાભ મેળવવા માટે પાત્ર છે.

આ યોજનાનો ઉદ્દેશ્ય પરિધાન/ગારમેન્ટ્સ અને મેડ-અપ્સની રિબેટ મારફતે નિકાસ પર ડયૂટી ડ્રોબેક સ્કીમ ઉપરાંત રાજ્ય અને કેન્દ્રીય કરવેરા અને લેવીને સરભર કરવાનો છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય સિદ્ધાંત પર આધારિત છે કે કરવેરા અને જકાતની નિકાસ ન કરવી જોઈએ, જેથી નિકાસ માટે આંતરરાષ્ટ્રીય બજારમાં સમાન તક મળી શકે. એટલે ઇનપુટ્સ પરના પરોક્ષ કરવેરામાં ઘટાડો કે વળતર મળવાનું છે એટલું જ નહીં, પરંતુ અન્ય અન-રિફંડેડ રાજ્ય અને કેન્દ્રના કરવેરા અને વસૂલાતમાં પણ છૂટ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  PDS: મંત્રીમંડળે પીડીએસ હેઠળ એએવાય પરિવારો માટે ખાંડ સબસિડીની યોજનાને મંજૂરી આપી

રાજ્ય કરવેરા ( State taxation ) અને લેવીની છૂટમાં પરિવહન, કેપ્ટિવ પાવર, કૃષિ ક્ષેત્ર, મંડી ટેક્સ, વીજળીની ડ્યુટી, નિકાસ દસ્તાવેજો પર સ્ટેમ્પ ડ્યુટી, કાચા કપાસના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા જંતુનાશકો, ખાતરો વગેરે જેવા ઇનપુટ્સ પર ચૂકવવામાં આવતી એમ્બેડેડ એસજીએસટી, બિનનોંધાયેલા ડીલરો પાસેથી ખરીદી, વીજળીના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કોલસા અને પરિવહન ક્ષેત્ર માટે ઇનપુટ્સનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ ટેક્સ અને લેવીઝની છૂટમાં પરિવહનમાં વપરાતા ઇંધણ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, કાચા કપાસના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા જંતુનાશકો, ખાતર વગેરે જેવા ઇનપુટ્સ પર ચૂકવવામાં આવતી એમ્બેડેડ સીજીએસટી, નોંધણી વગરના ડીલરો પાસેથી ખરીદી, પરિવહન ક્ષેત્ર માટેના ઇનપુટ્સ અને વીજળીના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કોલસા પર એમ્બેડેડ સીજીએસટી અને કમ્પેન્સેશન સેસનો સમાવેશ થાય છે.

આર.ઓ.એસ.સી.ટી.એલ. એક મહત્વપૂર્ણ નીતિગત પગલું છે અને તેણે કાપડ મૂલ્ય શ્રુંખલાના મૂલ્ય વર્ધિત અને શ્રમ ઘનિષ્ઠતા ધરાવતા સેગમેન્ટ એવા વસ્ત્રો અને મેડ અપ્સની ભારતીય નિકાસની સ્પર્ધાત્મકતા વધારવામાં મદદ કરી છે. બે (2) વર્ષનાં વધારે સમયગાળા માટે યોજના ચાલુ રાખવાથી સ્થિર નીતિગત વ્યવસ્થા પ્રદાન થશે, જે લાંબા ગાળાના વેપાર આયોજન માટે આવશ્યક છે, ખાસ કરીને ટેક્સટાઇલ્સ ક્ષેત્રમાં, જ્યાં લાંબા ગાળાની ડિલિવરી માટે અગાઉથી ઓર્ડર આપી શકાય છે.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

CP Radhakrishnan: મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો હવાલો આચાર્ય દેવવ્રતને સોંપાયો
Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
Fast Track Immigration: વિદેશ યાત્રા કરતા લોકો માટે સારા સમાચાર, હવે લખનૌ સહિત દેશના 13 એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન સેવા ઉપલબ્ધ
PM Modi: PM મોદીએ મોરેશિયસના PM સાથે કરી મુલાકાત, જાણો બંને વચ્ચે કયા કરારો પર થયા હસ્તાક્ષર
Exit mobile version