CBDT: CBDTએ એચઆરએના દાવાઓના સંદર્ભમાં કેસ ફરીથી ખોલવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવાનો દાવો કરતા મીડિયા અહેવાલો પર કરી આ સ્પષ્ટતા

CBDT: સીબીડીટીએ એચઆરએના દાવાઓના સંદર્ભમાં કેસ ફરીથી ખોલવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવાનો દાવો કરતા મીડિયા અહેવાલો પર સ્પષ્ટતા કરી. મિસમેચના કેસોને ફરીથી ખોલવા માટે કોઈ ખાસ ઝુંબેશ નથી, અને સીબીડીટી દ્વારા મોટા પાયે ફરીથી ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરતા મીડિયા અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે. આ બાબતમાં પશ્ચાદવર્તી કરવેરા અંગે આશંકાઓ છે અને એચઆરએના દાવાઓને લગતા મુદ્દાઓ પર કેસ ફરીથી ખોલવા એ સંપૂર્ણપણે પાયાવિહોણા છે

by Hiral Meria
CBDT clarified on media reports claiming to be running a special campaign to reopen cases in respect of HRA claims.

 News Continuous Bureau | Mumbai 

CBDT: ડેટાની ચકાસણીની નિયમિત કવાયતના ભાગરૂપે કરદાતા દ્વારા ફાઇલ કરવામાં આવેલી અને આવકવેરા વિભાગ ( Income Tax Department) પાસે ઉપલબ્ધ માહિતીમાં મેળ ખાતી ન હોય તેવા કેટલાક કિસ્સાઓ વિભાગના ધ્યાનમાં આવ્યા છે. આવા કિસ્સાઓમાં, વિભાગે કરદાતાઓને ચેતવણી આપી છે, કે જેથી તેઓ સુધારાત્મક પગલાં લઈ શકે. જો કે, સોશિયલ મીડિયા પરની કેટલીક પોસ્ટ્સ, તેમજ મીડિયાના લેખો, એવા કિસ્સાઓમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) દ્વારા શરૂ કરવામાં આવેલી પૂછપરછને પ્રકાશિત કરે છે, જેમાં કર્મચારીઓએ એચઆરએ અને ચૂકવેલ ભાડાના ખોટા દાવા કર્યા હોય. 

શરૂઆતમાં, એવું કહેવામાં આવ્યું છે કે આ બાબતો પર પશ્ચાદવર્તી કરવેરા ( taxation ) અંગેની કોઈપણ આશંકાઓ અને એચઆરએના ( HRA ) દાવાઓને લગતા મુદ્દાઓ પર કેસ ફરીથી ખોલવાની કોઈ પણ આશંકા સંપૂર્ણપણે પાયાવિહોણી છે.

કર્મચારી દ્વારા ચૂકવવામાં આવતા ભાડા અને નાણાકીય વર્ષ 2020-21 માટે પ્રાપ્તકર્તા દ્વારા ભાડાની પ્રાપ્તિ વચ્ચે મેળ ખાતા ન હોય તેવા કેટલાક ઉચ્ચ-મૂલ્યના કિસ્સાઓમાં ડેટા વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યા હતા.

આ ચકાસણી મોટા ભાગના કેસોને ફરીથી ખોલ્યા વિના ઓછી સંખ્યામાં કેસોમાં કરવામાં આવી હતી, ખાસ કરીને નાણાકીય વર્ષ 2020-21 (એવાય 2021-22) માટે અપડેટેડ રિટર્ન સંબંધિત કરદાતાઓ દ્વારા ફક્ત 31.03.2024 સુધી જ ફાઇલ કરી શકાતું હતું.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા માટે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આટલા ઉમેદવારો લડશે ચૂંટણી

તે પણ જણાવવામાં આવ્યું છે કે ઇ-વેરિફિકેશનનો ઉદ્દેશ નાણાકીય વર્ષ 2020-21 માટે માહિતીના મેળ ન ખાતા કેસોને અન્યને અસર કર્યા વિના જ ચેતવણી આપવાનો હતો.

એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવે છે કે આવા કિસ્સાઓને ફરીથી ખોલવા માટે કોઈ ખાસ ઝુંબેશ ( campaign ) ચલાવાઈ નથી, અને વિભાગ દ્વારા મોટા પાયે આવા મામલાઓ પુનઃખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરતા મીડિયા અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like