ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 ફેબ્રુઆરી 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની વધતી જતી સત્તાને ડામવા માટે આત્મનિર્ભર ભારત ની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ચીનથી આવનાર અનેક વસ્તુઓ ઉપર પ્રતિબંધો લાદ્યા હતા.જોકે હવે જે આંકડા સામે આવ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે આ બધું જ નકામું છે.
ચીન સાથે ભારતનો સૌથી વધુ આર્થિક વ્યવહાર થયો છે. ભારત સાથે ચીન નો વેપાર કુલ ૭૭.૭ બિલિયન ડોલર જેટલો થયો છે. જોકે આ વેપાર ગત વર્ષના વેપાર કરતાં છ બિલિયન ડોલર ઓછો છે.
વાત એમ છે કે ભારત મશીનરી, હોમ એપ્લાયન્સીસ અને મોબાઇલના ઈમ્પોર્ટ માં ચીનને પહેલી પ્રાથમિકતા આપે છે.આ કારણથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગમે તેટલા પ્રયત્નો કર્યા હોય તેમ છતાં ભારતીયો ચીનાઓ પાસેથી જ માલ ખરીદે છે.
Join Our WhatsApp Community
