Site icon

આઈએમએફનું અનુમાન- ચાલુ નાણાકીય વર્ષ ભારતીય અર્થતંત્ર માટે ભારી, પરંતુ 2021 માં ભારત ની અર્થવ્યવસ્થા ચીનને પછાડી દેશે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

14 ઓક્ટોબર 2020

કોરોના મહામારીના લીધે ચાલુ નાણાકીય વર્ષ ભારતીય અર્થવ્યવસ્થા માટે સારું નથી. પરંતુ વર્ષ 2021 માં બધુ ઠીક થવાની આશા છે. આ વાત આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના નવા અનુમાનથી સામે આવી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના જણાવ્યા અનુસાર ભારતીય નાણાંકીય વર્ષમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 10.3 ટકાનો ઘટાડો નોંધાય તેવી સંભાવના છે. જોકે આઇએમએફએ બીજો અંદાજ એ પણ લગાવ્યો છે કે આગામી નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 8.8 ટકાની ગતિથી વધી શકે છે અને તે ફરીથી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની શકે છે. આ સમયગાળા દરમિયાન, ચીન 8.2 ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે.

આઈએમએફના અહેવાલ માં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020 દરમિયાન વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં માત્ર ચીન જ એકમાત્ર એવો દેશ હશે જેમાં 1.9 ટકાનો વધારો નોંધાશે. આઇએમએફએ સાથે પોતાના અહેવાલમાં એમ પણ જણાવ્યું છે કે જીડીપી ગ્રોથ અનુમાનમાં સંશોધન ભારતના મામલે મોટું છે. તમને જણાવી દઈએ કે પાછલા નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 4.2 ટકા રહ્યો હતો.  

નોંધનીય છે કે ગત અઠવાડિયે વિશ્વ બેંકે કહ્યું હતુ કે, ભારતની જીડીપી આ નાણાકીય વર્ષમાં 9.6 ટકા ઘટશે. આ ઉપરાંત મૂડીઝ સહિત અન્ય મોટી રેટિંગ એજન્સીઓ પહેલાથી જ જીડીપીમાં ઘટાડાની શક્યતાઓ વ્યક્ત કરી ચુકી છે.

Stock market rally: શેરબજારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઊંચાઈ પર; શું છે કારણ?
Gold and silver prices: સોના-ચાંદીના બજારમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવમાં એક ઝાટકે ₹૨૦૦૦નો વધારો, ગ્રાહકો માટે અગત્યના સમાચાર.
Campa Cola: કોલ્ડ ડ્રિંક્સનો કિંગ કોણ? કેમ્પા કોલાની તાકાત સામે કોક-પેપ્સીનું સામ્રાજ્ય જોખમમાં, જાણો અંબાણીનો માસ્ટર પ્લાન.
PM SVANidhi: PM SVANidhi: શું પૈસાના અભાવે ધંધો અટકી પડ્યો છે? હવે ગેરંટી વગર સરકાર આપશે ₹90,000, જાણો આખી પ્રોસેસ
Exit mobile version