‘ડી માર્ટ’ના રાધાકિશન દામાણીએ થાણામાં આટલા કરોડમાં ખરીદી જમીન..જાણો કોની પાસેથી ખરીદી અને ભવિષ્યનો પ્લાન શું છે.?

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
05 જાન્યુઆરી 2021

રાધાકિશન દામાણી, અબજોપતિ રોકાણકાર અને D Mart ના સ્થાપકએ કેડબરી પાસેથી 8-એકરનો જમીનનો પ્લોટ ખરીદયાના સમાચાર વહેતાં થયા છે. થાણે પાસે Mondelez ભારતને આ માટે  લગભગ રૂ. 250 કરોડ ચૂકવાયા છે. એમ સુત્રોનું કહેવું છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પ્લોટ થાણેના મુખ્ય વિસ્તાર પોખરણ રોડ-1 પર સ્થિત છે. વર્તમાન વિકાસના નિયમોને જોતાં આ પ્લોટમાં લગભગ 1 મિલિયન ચોરસફૂટ જેટલી જમીન પર કુલ વિકાસ કરી શકાશે એમ મનાય છે.

એક વ્યક્તિએ કહ્યું, "આ સોદો એકદમ પ્રારંભીક તબક્કે છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ થાય તેવી અપેક્ષા છે. આ પ્લોટમાં કેટલાક ભાગ પર રિટેલ બાંધકામ થશે અને મેટ્રો સ્ટેશનની નિકટતાને ધ્યાનમાં રાખીને ઘરો પણ બનાવાશે. આમ મિશ્રિત ઉપયોગ માટે  પ્રોજેક્ટનો વિકાસ થશે."

આ પહેલીવાર નથી જ્યારે ડી-માર્ટ રિટેલ ચેન ચલાવતા રાધાકૃષ્ણ દમાણી એ રીઅલ એસ્ટેટમાં રોકાણ કર્યું હોય. 2019 માં, તેણે બોરીવલી (પૂર્વ) નજીક 8.8 એકર જમીન 500 કરોડમાં ખરીદી હતી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More