BMCનાં બેવડાં ધોરણને કારણે વેપારીઓને દંડ અને ફેરિયાઓને બખ્ખાં; જાણો, રવિવારે શું થયું?

by Dr. Mayur Parikh

ન્યુઝ  કન્ટિન્યુઝ, બ્યુરો

મુંબઈ, 14 જૂન 2021

સોમવાર

મુંબઈ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ સુધારવાની સાથે જ દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી મળી છે, પરંતુ આ દુકાનો માત્ર અડધો દિવસ ચાલુ રહી શકે છે. બીજી તરફ ફેરિયાઓ દિવસ આખો વેપાર કરી શકે છે. મુંબઈ મહાનગરપાલિકાએ એલર્ટ જાહેર કર્યું હતું કે રવિવારના દિવસે ભારે વરસાદ પડશે. તેમ જ એવું કહેવામાં આવ્યું હતું કે રવિવારે lockdownના નિયમો કડકાઇથી પાલન કરાવવામાં આવશે. મહાનગરપાલિકાના આ નિર્ણયને કારણે આખા મુંબઈ શહેરની તમામ દુકાનો બંધ રહી જવા પામી હતી. બીજી તરફ મુંબઈ શહેરના ફેરિયાઓ ફૂટપાથ ઉપર આવી ગયા તેમ જ દુકાનની બહાર અડ્ડો જમાવી દીધો. આવું થવાને કારણે દુકાનદારોને એક રૂપિયાનો ધંધો કરવા મળ્યો નહીં જ્યારે કે વેપારીઓએ ઘરાકો પાસેથી પૈસા ગણી લીધા.
 

આમ આદમીને મોંઘવારીની થપાટ; ઇંધણ ના ભાવમાં આજે ફરી થયો વધારો, જાણો મુંબઈમાં કેટલું મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ 

આ સંદર્ભે વેપારી સંગઠનના અધ્યક્ષ વીરેન શાહે પોતાનો અવાજ બુલંદ કરતાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું છે કે મુંબઈ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના પક્ષપાતી નિર્ણયને કારણે દુકાનદારોને ભારે નુકસાન થયું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More