News Continuous Bureau | Mumbai
મોદી સરકારે(Modi govt) મોંઘવારીનો માર સહન કરી રહેલ દેશના નોકરીયાત વર્ગ(Job class)ને વધુ ફટકો આપ્યો છે.
સરકારે ગત નાણાંકીય વર્ષ માટે આજે એમ્પલોય પ્રોવિડન્ડ ફંડ(EPF) માટેનો વ્યાજનો દર નક્કી કર્યો છે જે છેલ્લા ચાર દાયકાનો સૌથી ઓછો છે.
કેન્દ્ર સરકારે 2021-22 માટે કર્મચારી ભવિષ્ય નિધિ અથવા EPF થાપણો પર 8.1% વ્યાજ દરને મંજૂરી આપી છે.
જોકે આ વ્યાજ દર કેન્દ્રીય નાણા મંત્રાલયની મંજૂરી પછી સૂચિત કરવામાં આવશે અને બાદમાં જ સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં જમા થશે.
આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર- હવે કોઈ રેસ્ટોરન્ટ તમારી પાસે નહીં વસૂલી શકે આ ચાર્જ-સરકારે જણાવ્યું ગેરકાયદેસર- જાણો વિગતે
