કામની વાત- EPF- PPF કે VPF કઈ જગ્યાએ રોકાણ કરવાથી સૌથી વધારે મળશે રિટર્ન- જોઈ લો શેમા મળશે આપને વધારે ફાયદો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વધારે રિસ્ક નહીં લેનારા ઈન્વેસ્ટર્સ(investors) પોતાના રિટાયરમેન્ટ પ્લાનિંગ(retirement plannig) માટે EPF, VPF અથવા PPFમાં રોકાણ કરવાનું શરૂ કરી શકે છે. આ ફિક્સ્ડ રિટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સ(Fixed Return Instruments) છે. લાંબા ગાળામાં તેનું રિટર્ન ઘણુ સારુ મળે છએ. સાથે જ તેમા ઈન્કમ ટેક્સ ડિડક્શન નો પણ ફાયદો મળે છે.

પ્રાઇવેટ સેક્ટરમાં એપ્લોજીના ફાઈનાન્સિયલ સિક્યોરિટી(Financial security) માટે આ સ્કીમ શરૂ કરી છે. ઈપીએફ અકાઉન્ટમાં જમા પૈસા પર દર વર્ષે ઇન્ટરેસ્ટ મળે છે. ઈપીએફઓ માર્કેટની સ્થિતિને ધ્યાનમાં રાખતા ઇન્ટરેસ્ટ રેટ નક્કી થાય છે. ફાઈનાન્સિયલ ઈયર 2022-23 માટે ઇન્ટરેસ્ટ રેટ 8.1 ટકા છે. પાછા અમુક વર્ષોમાં ઈપીએફઓ ઇન્ટરેસ્ટ રેટ(EPFO Interest Rate)માં ઘટાડો આવ્યા છે, તેમ છતાં તે ફિક્સ્ડ રિટર્ન ઇસ્ટુમેન્ટમાં સૌથી વધારે છે.

ધારો કે 25 વર્ષની વ્યક્તિ છે, જેનો મૂળ પગાર 50,000 રૂપિયા છે. તેણે 58 વર્ષ સુધી EPFમાં દર મહિને યોગદાન આપવું પડશે. દર મહિને તે પોતાના પગારના 12% આ ખાતામાં ફાળો આપશે. ધારો કે દર વર્ષે તેનો પગાર 5% વધે છે. આ દરમિયાન અમે EPFનો વ્યાજ દર 8.5 ટકા ધારીએ છીએ. નિવૃત્તિ પર તેમને 4,47,91,983 રૂપિયા મળશે.

આ સમાચાર પણ વાંચો : ડીઆરઆઇનું ઓપરેશન ગોલ્ડ રશ – મુંબઈ પટના અને દિલ્હીમાંથી જપ્ત કર્યું અધધ આટલા કરોડનું 65-46 કિલો સોનું

VPF એ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના છે. મતલબ કે કર્મચારીએ તેમાં રોકાણ કરવું ફરજિયાત નથી. ખાનગી ક્ષેત્રનો કર્મચારી તેના મૂળ પગારના 12%ના માસિક યોગદાન ઉપરાંત VPFમાં રોકાણ કરી શકે છે. પરંતુ, EPFથી વિપરીત એમ્પ્લોયર તેમાં યોગદાન આપતું નથી. ખાસ વાત એ છે કે VPFમાં તમારા યોગદાન પર વ્યાજ દર EPF જેટલું જ છે. ઉપરાંત, કર્મચારીએ VPF માટે અલગ ખાતું ખોલવાની જરૂર નથી. આ પૈસા તમારા EPF ખાતામાં જ જમા થતા રહે છે. તમારી નિવૃત્તિ પર આ પૈસા તમારી EPFની રકમ સાથે ભળી જાય છે.

PPF એ સરકારની ગેરંટીવાળી સ્કીમ છે. નોકરી, વ્યવસાય(business) અથવા સ્વ-રોજગાર કરનાર કોઈપણ વ્યક્તિ PPF ખાતું ખોલાવી શકે છે. ખાતું ખોલાવવા માટે સરકારી કે ખાનગી કર્મચારી હોવું જરૂરી નથી. ખાતું ખોલ્યાના 15 વર્ષ પછી તે મેચ્યોર થાય છે. જો રોકાણકાર(Investor) ઈચ્છે તો, પાકતી મુદત પછી પણ, તે તેના ખાતાની મુદત 5-5 વર્ષના બ્લોકમાં બે વાર વધારી શકે છે. ચોક્કસ સંજોગોમાં, ખાતામાં જમા કરાયેલા નાણાંનો એક ભાગ પાકતી મુદત પહેલા ઉપાડવાની છૂટ છે. પીપીએફ ખાતું બેંકોની શાખાઓ અથવા પોસ્ટ ઓફિસમાં ખોલી શકાય છે.

નાણા મંત્રાલય(Finance Ministry) દર ક્વાર્ટરમાં પીપીએફના વ્યાજ દરની સમીક્ષા કરે છે. તે બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેનો વ્યાજ દર નક્કી કરે છે. નાણાકીય વર્ષ 2022-23ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં PPFનો વ્યાજ દર 7.10 ટકા છે. ધારો કે કોઈ વ્યક્તિ દર વર્ષે PPFમાં 24000 રૂપિયાનું રોકાણ કરે છે. તેણે આ રકમ 15 વર્ષ માટે રોકાણ કરવાની રહેશે. આ સમયગાળા દરમિયાન, જો વ્યાજ દર 7.1 ટકા માનવામાં આવે છે, તો 15 વર્ષ પછી, તેને 6,50,913 રૂપિયા મળશે. આમાં, તેના દ્વારા જમા કરાયેલ કુલ રકમ 3,60,000 રૂપિયા હશે, જ્યારે તેને વ્યાજ તરીકે 2,90,913 રૂપિયા મળશે.

આ સમાચાર પણ વાંચો :  ફાયદાની વાત- આ સરકારી સ્કીમમાં ખાલી 50 રૂપિયા જમા કરાવો- મેચ્યોરિટી પર મળી શકે છે 35 લાખ રૂપિયા

જો તમે ખાનગી ક્ષેત્રના કર્મચારી છો, તો તમારે પહેલાથી જ EPFમાં યોગદાન આપવું આવશ્યક છે. જો તમે નિવૃત્તિ માટે એક વિશાળ ભંડોળ બનાવવા માંગો છો, તો તમે PPF ખાતું ખોલી શકો છો. આ સિવાય તમે દર મહિને VPFમાં યોગદાન આપવાનું શરૂ કરી શકો છો. યોગદાનની રકમ તમારી ક્ષમતા મુજબ હોઈ શકે છે.

જો કોઈ વ્યક્તિ વ્યવસાયમાં હોય અથવા સ્વ-રોજગાર હોય તો તે પીપીએફ ખાતું ખોલાવી શકે છે. આ ખાતામાં તે દર મહિને 5 રૂપિયાનું રોકાણ કરી શકે છે. આ રીતે તેમનું વાર્ષિક રોકાણ 60,000 રૂપિયા થશે. તેણે આ રકમ 15 વર્ષ માટે રોકાણ કરવાની રહેશે. પછી, 7.1 ટકાના વ્યાજ દર સાથે, તેને કુલ 16,27,284 રૂપિયા મળશે. આમાં, તેના દ્વારા રોકાણ કરાયેલી રકમ 9,00000 રૂપિયા હશે, જ્યારે 7,27,284 રૂપિયા તેને વ્યાજ તરીકે મળશે.

આ સમાચાર પણ વાંચો : અદ્ભૂત ઓફર- આ એરલાઇન કંપની 50 લાખ સીટ માટે ફ્રી ટિકિટ આપી રહી છે- 25 સપ્ટેમ્બર સુધી બુક કરાવી  શકાશે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More