Site icon

Export duty : તહેવારોની સિઝનમાં ચોખાના વધતા ભાવથી મળશે રાહત! હવે સરકારે આ લીધો નિર્ણય..

Export duty : દેશમાં ચોખાના ભાવને અંકુશમાં રાખવા અને પર્યાપ્ત ઉપલબ્ધતા જાળવવા કેન્દ્ર સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે હવે પરબોઈલ્ડ નોન-બાસમતી સફેદ ચોખા (આંશિક રીતે બાફેલા પેક્ડ ચોખા) પર ઓગસ્ટમાં 31 માર્ચ સુધી નિકાસ જકાતનો અમલ કર્યો છે. અગાઉ, 25 ઓગસ્ટના રોજ 20 ટકા નિકાસ ડ્યુટી લાગુ કરતી વખતે, કેન્દ્ર સરકારે તેની અંતિમ તારીખ 16 ઓક્ટોબર નક્કી કરી હતી. હવે આ નિકાસ ડ્યુટી આગામી 5 મહિના સુધી અમલમાં રહેશે જેથી ચોખાની નિકાસ અટકાવી શકાય અને ભારતીય બજારમાં તેની અછત ન અનુભવાય.

Export duty India extends 20% export duty on parboiled rice till March 31 next year

Export duty India extends 20% export duty on parboiled rice till March 31 next year

News Continuous Bureau | Mumbai 

Export duty : તહેવારોની સિઝનની ( Festive season )શરૂઆત પહેલા સ્થાનિક બજારમાં ચોખાના ભાવને ( rice price ) નિયંત્રિત કરવા માટે સરકારે પારબોઈલ્ડ ચોખા ( Parboiled rice ) પર નિકાસ ડ્યૂટી 31 માર્ચ, 2024 સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. નાણા મંત્રાલયે ( Finance Ministry ) આ મામલે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોંધનીય છે કે સ્થાનિક બજારમાં ચોખાની વધતી કિંમતોને અંકુશમાં રાખવા માટે સરકારે ઓગસ્ટમાં બાફેલા ચોખાની નિકાસ પર 20 ટકા નિકાસ જકાત ( export duty ) લાદવાનો નિર્ણય લીધો હતો.

Join Our WhatsApp Community

ત્યારે સરકારે આ નિર્ણયને 16 ઓક્ટોબર 2023 સુધી લાગુ કરી દીધો હતો. નોંધનીય છે કે ભારત સરકાર ( central government ) આ પ્રયાસો દ્વારા બિન-બાસમતી ચોખાના ભાવને નિયંત્રિત કરવામાં સફળ રહી હતી. ભારતમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી ચોખાનો હિસ્સો 25 ટકા છે.

સરકાર ચોખાના ( rice  ) ભાવને અંકુશમાં લેવા માટે સતત પગલાં લઈ રહી છે.

ખાદ્ય મોંઘવારીને અંકુશમાં લેવા માટે મોદી સરકાર ગયા વર્ષથી અનેક પગલાં લઈ રહી છે. અગાઉ, સરકારે તહેવારોની મોસમ દરમિયાન ચોખાના ભાવને નિયંત્રિત કરવા માટે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તૂટેલા ચોખાની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ચોખાની નિકાસમાં ઘટાડો

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જૂન ક્વાર્ટર વચ્ચે કુલ 15.54 લાખ ટન બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન માત્ર 11.55 લાખ ટનની જ નિકાસ થઈ હતી. આવી સ્થિતિમાં નિકાસ ડ્યુટી લાગુ કરવાથી ચોખાની નિકાસમાં ઘટાડો થશે અને સ્થાનિક બજારમાં ચોખાના ભાવને નિયંત્રિત કરવામાં મદદ મળશે.

આ સમાચાર પણ વાંચો : US Immigration Visa Services: ગ્રીન કાર્ડની રાહ જોતાં ભારતીયો માટે ખુશખબર, હજારોને થશે ફાયદો, અમેરિકાએ ભર્યું આ મોટું પગલું.. આ નિયમમાં મળશે છુટ…જાણો શું છે આ સમગ્ર મામલો..વાંચો વિગતે અહીં…

સરકારના પ્રયાસોની અસર દેખાઈ રહી છે

તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલા જ સરકારના પ્રયાસો ફળ આપતા જણાય છે. સપ્ટેમ્બર 2023માં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થયા બાદ છૂટક મોંઘવારી દરમાં મોટો ઘટાડો થયો છે અને તે ઘટીને 5.02 ટકા પર આવી ગયો છે. અગાઉ ઓગસ્ટ 2023માં તે 6.83 ટકા હતો. જ્યારે જુલાઈ 2023માં તે 15 મહિનામાં સૌથી વધુ 7.44 ટકાના સ્તરે રહ્યો હતો.

આંકડા મંત્રાલયના ડેટા અનુસાર, મોંઘવારી ઘટવા પાછળનું સૌથી મોટું કારણ ખાદ્યપદાર્થોના ફુગાવાના દરમાં ઘટાડો છે. ઓગસ્ટ 2023માં ખાદ્ય ફુગાવાનો દર 9.94 ટકા હતો જે સપ્ટેમ્બરમાં ઘટીને 6.56 ટકા થયો છે. ખાદ્ય મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સરકારે ચોખા, ઘઉં અને શાકભાજીને લગતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

Gold Price: તહેવારોની સિઝન પહેલાં સોનામાં આવ્યો ઉછાળો, ચાંદી પણ થઇ મોંઘી,જાણો 9 સપ્ટેમ્બર 2025 ના તાજા ભાવ
FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Exit mobile version