Site icon News Continuous Bureau | Mumbai

સસ્તા થશે બ્રેડ અને બિસ્કીટ! સરકારના આ પગલાથી મોંઘવારીમાં મળી શકે છે મોટી રાહત

મોંઘવારીથી કંટાળેલા સામાન્ય લોકોને ટૂંક સમયમાં રાહત મળી શકે છે. બ્રેડ, બિસ્કીટ અને લોટની કિંમત ઘટાડવા માટે સરકારે તેના ગોડાઉનમાં સંગ્રહિત ઘઉંને ખુલ્લા બજારમાં વેચી દીધા છે.

FCI sells 5.39 L tonnes wheat in 5th auction round

સસ્તા થશે બ્રેડ અને બિસ્કીટ! સરકારના આ પગલાથી મોંઘવારીમાં મળી શકે છે મોટી રાહત

News Continuous Bureau | Mumbai

મોંઘવારીથી કંટાળેલા સામાન્ય લોકોને ટૂંક સમયમાં રાહત મળી શકે છે. બ્રેડ, બિસ્કીટ અને લોટની કિંમત ઘટાડવા માટે સરકારે તેના ગોડાઉનમાં સંગ્રહિત ઘઉંને ખુલ્લા બજારમાં વેચી દીધા છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) એ ઈ-ઓક્શનના પાંચમા રાઉન્ડમાં 5.39 લાખ ટન ઘઉં ફ્લોર મિલરો અને અન્ય બલ્ક ગ્રાહકોને વેચ્યા. આ પગલાથી ખુલ્લા બજારમાં પણ ઘઉંના ભાવ ઘટી શકે છે. જ્યારે આ જથ્થાબંધ ગ્રાહકોમાં ઘણી ફ્લોર મિલોથી લઈને કન્ફેક્શનરી યુનિટનો સમાવેશ થાય છે, તેથી તેમની કિંમતો પર અસર થઈ શકે છે.

Join Our WhatsApp Channel

ખાદ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘઉં અને ઘઉંના લોટની છૂટક કિંમતો નીચે લાવવાના પગલાંના ભાગરૂપે છેલ્લા ચાર રાઉન્ડમાં ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ જથ્થાબંધ વપરાશકારોને લગભગ 23.47 લાખ ટન ઘઉં નું વેચાણ કરવામાં આવ્યું હતું. આગામી સાપ્તાહિક ઈ-ઓક્શન 15 માર્ચે યોજાશે. ઈ-ઓક્શનનો પાંચમો રાઉન્ડ 9 માર્ચે યોજાયો હતો અને FCIના 23 પ્રદેશોમાં સ્થિત 657 ડેપોમાંથી આશરે 11.88 લાખ ટન ઘઉં વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “લગભગ 5.39 લાખ ટન ઘઉંનું વેચાણ 1,248 બોલી લગાવનારાઓને કરવામાં આવ્યું છે.” વેઇટેડ એવરેજ સેલિંગ પ્રાઈસ પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,140.29 ની સરેરાશ અનામત કિંમતની સામે રૂ. 2,197.91 હતી. નિવેદનમાં જણાવાયું છે કે, 100 થી 499 ટન સુધીના જથ્થા માટે મહત્તમ બિડની સંખ્યા હતી, ત્યારબાદ 500-999 ટન અને 50-100 ટન માટે લગાવવામાં આવી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, હરાજી દરમિયાન એકંદર ભાવ દર્શાવે છે કે બજાર નરમ પડ્યું છે અને કિંમતો સરેરાશ રૂ. 2,200 પ્રતિ ક્વિન્ટલની નીચે ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :   કડક પ્રતિબંધોનો દોર પાછો આવ્યો? ઈન્ફલ્યુએન્ઝા વાયરસના વધતા કેસ વચ્ચે નીતિ આયોગે લોકોને કરી આ અપીલ..

હરાજીના ચાર રાઉન્ડમાં વેચાયેલા લગભગ 23.47 લાખ ટન ઘઉંમાંથી 19.51 લાખ ટન ખરીદદારો દ્વારા ઉપાડવામાં આવ્યા છે. પ્રથમ હરાજી પછી, OMSS હેઠળ ઘઉંનું સંચિત વેચાણ 45 લાખ ટનની કુલ ફાળવણી સામે 28.86 લાખ ટન સુધી પહોંચી ગયું. મંત્રાલયે જણાવ્યું કે, “આ પ્રકારના વેચાણે સમગ્ર દેશમાં ઘઉં અને ઘઉંના લોટના ભાવોને નીચે લાવવામાં નોંધપાત્ર અસર કરી છે, જે OMSS હેઠળ ઘઉંના ખુલ્લા વેચાણ માટે ભાવિ ટેન્ડરો સાથે સ્થિર રહેવાની અપેક્ષા છે.”

1 એપ્રિલથી ઘઉંની ખરીદીનો સમય શરૂ થવાને કારણે સરકારે 31 માર્ચ સુધી ઘઉંનું લિફ્ટિંગ પૂર્ણ કરવાની મંજૂરી આપી છે. OMSS હેઠળ કુલ 50 લાખ ટન ઘઉં વેચાણ માટે ફાળવવામાં આવ્યા છે. ઘઉંના ફાળવવામાં આવેલા જથ્થામાંથી, FCIને સાપ્તાહિક ઈ-ઓક્શન દ્વારા 15 માર્ચ સુધી બલ્ક વપરાશકર્તાઓને કુલ 45 લાખ ટન ઘઉં વેચવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

 

Triple10 Rule of SIP નાની બચત, મોટું ફંડ SIPના આ જાદુઈ નિયમથી તમારા સપના થશે સાકાર, જાણો ગણિત
RBI Penalty on NBFCs RBI નો મોટો એક્શન! મુથૂટ ફાઈનાન્સ સહિત 6 કંપનીઓ પર લાદ્યો દંડ, જાણો કારણ
RBI’s Polymer Currency Initiative 16 વર્ષ, 3 પ્રયાસ… પ્લાસ્ટિક નોટ લાવવા RBI કેમ છે આટલી ગંભીર? જાણો સુરક્ષા અને આયુષ્યના ફાયદા
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Exit mobile version