Site icon

 વેપારીઓના ધંધા બંધ અને ફેરિયાઓ લોકોને લુટે છે. રાતોરાત આ વસ્તુઓના ભાવ વધારી દીધા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

વેપારીઓની દુકાનો બંધ છે ત્યારે ફેરિયાઓ લોકોને બેફામ પણે લુંટી રહ્યા છે. કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ આપનાર લીંબુ, સંતરા અને મોસંબી જેવા ફળો ની કિંમત માં સીધો વધારો ઝીંકી દીધો છે. જોવાની વાત એ છે કે હોલસેલ માર્કેટમાં આમાંથી એક પણ વસ્તુની કિંમત વધી નથી તેમજ તેની ખેંચ સુદ્ધાં નથી. તેમ છતાં એરીયા પ્રમાણે ફેરિયાઓ એ પોતાના ભાવ બદલી નાખ્યા છે.

લીંબુના દર દસ રૂપિયાના સ્થાને પ્રતિ કિલોના ૮૦ રૂપિયા કરી નાખ્યા છે.

મોસંબીના દર 120 રૂપિયા કિલો કરી નાખ્યા છે.

સંતરાના દર ૪૫ રૂપિયા પ્રતિ કિલો કરી નાખ્યા છે.

જોવાની વાત એ છે કે દાદરમાં લીંબુ નો ભાવ વીસ રૂપિયાના 20 નંગ નો છે. બોરીવલી રેલવે સ્ટેશન પર તેનો ભાવ વીસ રૂપિયાના 8 નંગ છે. મહાવીર નગર અને ચારકોપ જેવા વિસ્તારમાં તેનો ભાવ 20 રૂપિયાના  પાંચ નંગ છે.

મીની લોકડાઉન માં છૂટ મળશે તે ભૂલી જાવ, અહીં તો પૂરા લોકડાઉન ની તૈયારી ચાલુ છે. ઉદ્ધવ ઠાકરેએ બોલાવી મહત્વપૂર્ણ બેઠક. જાણો વિગત..

એક તરફ સરકારે આદેશ આપ્યો છે કે કોઈપણ ચીજ વસ્તુનો ભાવ વધારો કરવાથી તે વ્યક્તિની વિરુદ્ધમાં કાર્યવાહી થશે. ત્યારે બીજી તરફ જીવન આવશ્યક ચીજવસ્તુઓ સંદર્ભે લોકોની ઉઘાડી લૂંટ ચાલુ છે.

iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
Exit mobile version