News Continuous Bureau | Mumbai
Haldiram Snacks: દેશની સૌથી લોકપ્રિય કંપનીઓમાંની એક, હલ્દીરામ ( Haldiram Snacks ) સ્નેક્સ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ વેચાવા જઈ રહી છે. કંપનીના માલિકી હકો ખરીદવા માટે વિશ્વની અગ્રણી કંપનીઓની નજર છે. મીડિયા અહેવાલ મુજબ, અગાઉ ટાટા ગ્રુપ અને બ્લેકસ્ટોન દ્વારા હલ્દીરામને ખરીદવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. ઓછા વેલ્યુએશનને કારણે હલ્દીરામે તમામ ઓફરોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે હવે તે પોતાના બિઝનેસને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
Haldiram Snacks હલ્દીરામને ખરીદવાને બદલે તેનો એક ભાગ બનવાનો પ્રયાસ
દરમિયાન હવે અહેવાલ છે કે સિંગાપોરની સરકારી માલિકીની ઇન્વેસ્ટમેન્ટ કંપની ટેમાસેક હોલ્ડિંગ્સે હલ્દીરામને ખરીદવાને બદલે તેનો એક ભાગ બનવાનો પ્રયાસ કર્યો છે. સિંગાપોરની આ ઇન્વેસ્ટમેન્ટ કંપની ભારતીય ફૂડ એન્ડ સ્નેક્સ કંપની હલ્દીરામનો 10 થી 15 ટકા હિસ્સો ખરીદવામાં રસ ધરાવે છે. જો આ ડીલ થાય તો હલ્દીરામનું માર્કેટ વેલ્યુ આશરે 11 બિલિયન ડોલર થશે. આ રોકાણ કંપનીના સંભવિત IPO (ઇન્શિયલ પબ્લિક ઑફરિંગ) તરફ એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે, જો કે વાતચીત હજુ પ્રારંભિક તબક્કામાં છે અને તે સફળ થશે કે નહીં તે અંગે હજુ શંકા છે.
Haldiram Snacks હલ્દીરામમાં રોકાણની સંભાવનાઓ
આ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે વૈશ્વિક રોકાણકારો ભારત પર ખાસ ધ્યાન આપી રહ્યા છે, ખાસ કરીને દેશની ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાને કારણે. હલ્દીરામની વધતી જતી લોકપ્રિયતા અને ભારતમાં નાસ્તા બજારના વિસ્તરણને જોતાં આ રોકાણ ટેમાસેક માટે મોટી તક બની શકે છે.
આ સમાચાર પણ વાંચો : Israel Wrong India Map: જમ્મુ-કાશ્મીરનું PAKમાં વિલીનીકરણ? ઇઝરાયલે વેબસાઈટ પર રજૂ કર્યો ખોટો નકશો; પછી લીધો યુ-ટર્નલ; જાણો શું છે સમગ્ર મામલો..
Haldiram Snacks ભારતમાં રોકાણ વિસ્તરણ
ટેમાસેક હોલ્ડિંગ્સ, જેણે ભારતમાં અત્યાર સુધીમાં લગભગ $37 બિલિયનનું રોકાણ કર્યું છે. તે આગામી સમયમાં આ રોકાણને વધુ વધારવાનું આયોજન કરી રહી છે. કંપનીનું ધ્યાન ડિજિટલાઇઝેશન, ગ્રાહક ક્ષેત્ર અને ટકાઉ જીવનશૈલી જેવા મુખ્ય ક્ષેત્રો પર છે. ટેમાસેકે અત્યાર સુધી ભારતમાં ઘણી કંપનીઓમાં લઘુમતી હિસ્સો ખરીદ્યો છે અને તેમને વૃદ્ધિ કરવામાં મદદ કરી છે. જોકે, કંપની ભારતીય કંપનીઓમાં બહુમતી હિસ્સો ખરીદવાનું ટાળી રહી છે.
Haldiram Snacks 1930માં ગંગા બિશન અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી હલ્દીરામની સ્થાપના
હલ્દીરામની સ્થાપના 1930માં ગંગા બિશન અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી અને આજે કંપની નાસ્તા, મીઠાઈઓથી લઈને ફ્રોઝન ફૂડ અને રોટલી સુધીના ઉત્પાદનોની વિશાળ શ્રેણીનું વેચાણ કરે છે. કંપનીનો બિઝનેસ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ફેલાયેલો છે, જ્યાં તે 43 રેસ્ટોરાં પણ ચલાવે છે. રિપોર્ટ અનુસાર, અગ્રવાલ પરિવાર લાંબા સમયથી IPO અને બિઝનેસ વેચવાની યોજના બનાવી રહ્યો છે. વૈશ્વિક રોકાણકારો પણ ભારતની આર્થિક પ્રગતિનો ભાગ બનવા આતુર છે. આવી સ્થિતિમાં, હલ્દીરામને ખરીદવો અથવા ભાગીદાર બનવું એ દરેક માટે સારો વિકલ્પ છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)