News Continuous Bureau | Mumbai
સામાન્ય માણસોને પોતાનું ઘર ખરીદવાનું સપનું હવે મોંઘુ પડી શકે છે. સસ્તી હોમ લોન(Home Loan) ના દિવસો પૂરા થવાની દિશામાં છે. દેશની અગ્રણી હાઉસિંગ ધિરાણકર્તા HDFC લિમિટેડે રવિવારે તેના બેન્ચમાર્ક ધિરાણદરમાં 0.05 ટકાનો વધારો કર્યો હતો. તેથી કંપની પાસેથી લોન લેનારા વર્તમાન ગ્રાહકો માટે માસિક હપ્તા (EMI)માં વધારો થશે. નવા દરો રવિવારથી લાગુ થશે. જો કે, નવા ગ્રાહકો માટેના હાલ દરો બદલાયા નથી. અગાઉ SBI અને બેંક ઓફ બરોડાએ પણ વ્યાજદરમાં(Interest Rate) વધારો કર્યો હતો.
HDFC ના નવા ગ્રાહકો માટે રૂ. 30 લાખ સુધીની લોન પર વ્યાજ દર 6.8 ટકા હશે, જ્યારે રૂ. 30 લાખથી વધુ અને રૂ. 75 લાખ સુધીની લોન પર વ્યાજ દર 7.05 ટકા હશે. 75 લાખથી વધુનો દર 7.15 ટકા છે. HDFC એ 1 મે, 2022 થી હોમ લોન પર રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR) માં 0.05 ટકાનો વધારો કર્યો છે હોવાનું કંપનીએ રવિવારે જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના નહીં પણ મોદીના શાસનમાં થયો કમાલ…. પતંજલિ કે રિલાયન્સ નહીં પરંતુ ખાદી ઉદ્યોગ સમૂહે એફએમસીજી સેક્ટરમાં એક લાખ કરોડનું ટર્ન ઓવર કર્યું.
તે જ સમયે, નવી મહિલા ગ્રાહકો માટે રૂ. 30 લાખ સુધીની લોન માટે આરપીએલઆર 6.75 ટકા, નવી મહિલાઓ માટે રૂ. 30 લાખથી રૂ. 75 લાખ સુધીની લોન માટે 7 ટકા અને રિટેલ પ્રાઇમ લેન્ડિંગ દરો માટે 7.15 ટકા રહેશે. આગામી મહિનાઓમાં રિઝર્વ બેંક(RBI) વ્યાજ દર અંગે કડક વલણ અપનાવે તેવી ધારણા છે. કારણ કે તેમની પ્રાથમિકતા ભૌગોલિક રાજકીય તણાવને(Geopolitical tensions) કારણે ફુગાવાને કાબુમાં રાખવાની છે.
RBIએ ગયા મહિને તેની ક્રેડિટ પોલિસી મીટિંગમાં ફુગાવા અંગેની ચિંતા વ્યક્ત કર્યા પછી વ્યાજ દરમાં વધારો ચાલુ છે. મધ્યસ્થ બેંકે(Central bank) વૃદ્ધિને વેગ આપવા માટે ફુગાવાને નાથવાની નીતિ અપનાવી છે. છેલ્લા બે વર્ષથી વ્યાજ દરો સર્વકાલીન નીચા સ્તરે રાખ્યા છે. પરિણામે, ઘણા ધિરાણકર્તાઓ 6.5 ટકાથી ઓછા દરે હોમ લોન ઓફર કરે છે.