Site icon News Continuous Bureau | Mumbai

શોકિંગ! વિરારમાં આર્થિક રીતે પડી ભાંગેલા હોટલિયરે કરી આત્મહત્યા જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 16 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

વિરારની નામાંકિત હૉટેલના માલિકે પોતાની હૉટેલમાં જ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાનો આઘાતજનક બનાવ બન્યો હતો.

કોરોનાને પગલે છેલ્લા દોઢ વર્ષમાં વેપાર-ધંધાને મોટા પ્રમાણમાં ફટકો બેઠો છે. વેપારીઓ તમામ રીતે બરબાદ થઈ ગયા છે. સતત લૉકડાઉન અને સરકારી પ્રતિબંધોને કારણે ધંધો કરવો મુશ્કેલ થઈ ગયો છે, ત્યારે લૉકડાઉનને પગલે પડેલા આર્થિક ફટકાનો માર સહન નહીં કરી શકનારા વિરાર (વેસ્ટ)માં વાય. કે. નગરમાં આવેલી સ્ટાર પ્લેનેટ હૉટેલના 48 વર્ષના માલિક કરુણાકરન્ પુત્રણે ગુરુવારે આત્મહત્યા કરી હતી.

બ્રેકિંગ ન્યુઝ: વેપારીઓએ દેખાડી લાલ આંખ અને સરકાર ઝૂકી ગઈ, કોલ્હાપુરમાં વેપારીઓનો મોટો વિજય; જાણો વિગત

આત્મહત્યા પહેલાં કરુણાકરને આર્થિક સંકડામણનો ભોગ બન્યા હોવાથી આત્મહત્યા કરી રહ્યા હોવાની ચિઠ્ઠી લખી હતી. અનેક દિવસોથી લૉકડાઉનને પગલે હૉટેલ ચાલતી ન હોવાથી વીજળીનાં બિલ ભરવા, પગાર આપવા પૈસા નહોતા એથી નાઇલાજે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનું પત્રમાં લખ્યું હતું.

RBI clarifies June 26 Muharram bank closures ૨૬ જૂને મોહરમના કારણે બેંકો રહેશે બંધ, RBI એ કરી સ્પષ્ટતા
Amitabh Bachchan Investment અમિતાભ બચ્ચને ‘ડી.પી. વાયર્સ’માં પોતાનો હિસ્સો ઘટાડ્યો, શેરબજારમાં રોકાણને લઈને ચર્ચા
Ecommerce Sales 2026 ખરીદીનો સુવર્ણ અવસર, ફ્લિપકાર્ટની ‘GOAT’ સેલ અને એમેઝોનની ‘પ્રાઈમ ડે’ સેલ ૪ જુલાઈથી થશે શરૂ
Digital Fraud Rules નવા વર્ષથી બેંકિંગ પ્રક્રિયામાં ફેરફાર, ડિજિટલ ફ્રોડના કિસ્સામાં ગ્રાહકોને મળશે આર્થિક સુરક્ષા
Exit mobile version