Site icon

સારા સમાચાર! ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનારાઓ માટે રાહત, બે વર્ષ પહેલા થયેલી ભૂલો સુધારવાની મળશે તક. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર.

 દેશના લાખો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓ માટે બજેટમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય નિર્મલા સીતારમણે આવકવેરા રિટર્નને લઈને મહત્વની જાહેરાત કરી છે, તે મુજબ કરદાતાઓ દ્વારા ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો તેની તપાસ કરવામાં આવી રહી હતી. પરંતુ હવેથી તે બંધ કરવામાં આવશે અને છેલ્લા બે વર્ષની ભૂલો સુધારવાની તક આપવામાં આવશે.

આ અંગેની જાહેરાત કરતા નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, "પહેલાં આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં કોઈ ભૂલ થતી  તો કરદાતાની તપાસ કરવામાં આવતી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે આ કરદાતાઓ પર પૂર્ણ વિશ્વાસ રાખવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમની પૂછપરછ કરવામાં આવશે નહીં. તેને ભૂલ સુધારવાની છૂટ આપવામાં આવશે.

મહિનાના પહેલા દિવસે  આમ આદમીને મોટી રાહત, 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો; જાણો લેટેસ્ટ રેટ

કેન્દ્ર સરકારનો આ નિર્ણય લાખો કરદાતાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તે જ સમયે, કેન્દ્ર સરકારે સહકારી સોસાયટીઓ માટે ઓલ્ટરનેટ મિનિમમ ટેક્સ 18.5 ટકાથી હવે 15 ટકા કર્યો છે.

Trump’s Textile Trade Deal: ભારત પર ૧૮% ટેક્સ અને બાંગ્લાદેશને ટેક્સમાં મુક્તિ, મહારાષ્ટ્ર અને સુરતના ટેક્સટાઇલ હબ પર શું થશે અસર?
Gold Silver Rates: સોનામાં રિવર્સ ગિયર! કિંમતી ધાતુઓના ભાવમાં ગાબડું પડતા ગ્રાહકોમાં આનંદ, જાણો ૧૦ ગ્રામ સોનું અને ૧ કિલો ચાંદી ખરીદવા હવે કેટલા ખર્ચવા પડશે
Edible Oil Futures Trading: ખાદ્યતેલોમાં આત્મનિર્ભર થવા માટે ફ્યચર્સ ટ્રેડિંગ જરૂરી
Gold and Silver Prices Rocket: સોના-ચાંદીના ભાવમાં મોટો ભડકો: સોનું એકાએક ₹2,200 મોંઘું થયું, જાણો શું છે લેટેસ્ટ ભાવ
Exit mobile version