RBI Rupee Account: ભારત તરફથી ડી-ડોલરાઇઝેશનની દિશામાં મોટું પગલું, જાણો RBIના નવા નિયમ વિશે

RBIના નવા નિયમથી ભારતીય રૂપિયો સ્થાનિક ચલણથી ટ્રેડ કરન્સી અને રિઝર્વ કરન્સી બનવાની દિશામાં આગળ વધશે

by Akash Rajbhar
ભારતનું મોટું પગલું RBIના નવા ડી-ડોલરાઇઝેશન નિયમ

News Continuous Bureau | Mumbai
એક સોશિયલ મીડિયા યુઝરે એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી કે RBI (Reserve Bank of India) હવે ભારતીય બેંકોને વિદેશી રૂપી ખાતા તરત ખોલવાની મંજૂરી આપશે એ પણ અપ્રુવલ વગર અને વિલંબ વગર. આ પગલું માત્ર બેંકિંગ સુધારો નથી, પણ ભારતના ચલણ રૂપિયાને વૈશ્વિક સ્તરે ટ્રેડ અને રિઝર્વ કરન્સી બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.

ડોલર પર આધાર ઘટાડવાનો પ્રયાસ

આ પગલાંથી ભારત ડી-ડોલરાઇઝેશન (De-dollarisation) તરફ આગળ વધી રહ્યું છે. હવે વેપાર માટે ડોલર નહીં પણ રૂપિયો પણ ઉપયોગમાં લેવાશે. આથી ભારતના વેપાર ભાગીદારો માટે રૂપિયામાં ટ્રાન્ઝેક્શન સરળ બનશે અને ડોલર પર આધાર ઘટશે.

આ સમાચાર પણ વાંચો : India’s Agni-5 Missile Test: ભારતનું અગ્નિ-5 મિસાઇલ પરીક્ષણ: વિશ્વ માટે એક વ્યૂહાત્મક સંદેશ, જાણો આના પર પાકિસ્તાન ની શું છે પ્રતિક્રિયા

વિશ્વભરમાં રૂપિયાની સ્થિતિ મજબૂત બનશે

આ પગલાંથી ભારતીય ચલણની વૈશ્વિક માન્યતા વધશે. જો ભારત આ દિશામાં સતત આગળ વધે, તો રૂપિયો માત્ર સ્થાનિક ચલણ નહીં, પણ ટ્રેડ કરન્સી અને ભવિષ્યમાં રિઝર્વ કરન્સી (Reserve Currency) બની શકે છે — જેમ કે ડોલર, યુરો અને યેન.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More