નવા ‘એનર્જી કિંગ’ બનવાના રસ્તે છે ભારત, અમેરિકા બાદ હવે સાઉદી અરેબિયાએ ભાગીદારીની ઈચ્છા વ્યક્ત કરી

રશિયા-યૂક્રેન યુદ્ધ પછી, વિશ્વમાં ઉર્જા સંકટ વચ્ચે ભારત નવા "એનર્જી કિંગ" બનવાના રાતા પર છે. યૂક્રેન પર આક્રમણને કારણે પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં નવી ઉર્જા કટોકટી સર્જાઈ છે

by kalpana Verat
India is on the way to become the new Energy King

News Continuous Bureau | Mumbai

રશિયા-યૂક્રેન યુદ્ધ પછી, વિશ્વમાં ઉર્જા સંકટ વચ્ચે ભારત નવા “એનર્જી કિંગ” બનવાના રસ્તા પર છે. યૂક્રેન પર આક્રમણને કારણે પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં નવી ઉર્જા કટોકટી સર્જાઈ છે. તેલ અને ગેસની મોંઘવારીથી વિશ્વના તમામ દેશો ત્રસ્ત છે. આ વૈશ્વિક સંકટ વચ્ચે, ભારત ઊર્જાની નવી પદ્ધતિઓ શોધીને વિશ્વને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતે ગ્રીન હાઇડ્રોજન, સૌર ઉર્જા જેવા નવા ઉર્જા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ભારત ન્યુક્લિયર એનર્જીની દિશામાં આગળ વધ્યું છે. તેથી, ભારત વિશ્વમાં ઊર્જાનો નવો રાજા બની રહ્યો છે. તેથી જ હવે વિશ્વના મોટા દેશો ઉર્જા ક્ષેત્રમાં ભારત સાથે ભાગીદારીમાં રસ દાખવી રહ્યા છે. અમેરિકા બાદ હવે સાઉદી અરેબિયાએ પણ ભારત સાથે એનર્જી પાર્ટનરશિપમાં ભાગ લેવાની પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી છે.

રિયાધમાં 2-દિવસીય સાઉદી મીડિયા ફોરમ દરમિયાન, સાઉદી ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાને કહ્યું કે ભારત સાથે ગાઢ સહયોગ માટે સાઉદી અરેબિયાની ઊર્જા ક્ષેત્રે ઘણી યોજનાઓ છે. તેમણે કહ્યું કે ઉર્જા ક્ષેત્રમાં આવી તમામ યોજનાઓ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. પ્રિન્સ સલમાનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે તેઓ લગભગ 4 મહિના પહેલા ઓક્ટોબરમાં ભારતની મુલાકાતે હતા. તે દરમિયાન તેમણે એશિયાની બીજી સૌથી મોટી એનર્જી કંપનીના અધિકારીઓ સાથે કરાર અંગે વાત કરી હતી. આ દરમિયાન પ્રિન્સ અબ્દુલ અઝીઝે ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી અને ઉર્જા મંત્રી રાજકુમાર સહિત અનેક ઉદ્યોગપતિઓને પણ મળ્યા હતા.

ગુજરાતને મધ્ય એશિયામાં સૌથી મોટી રિન્યુએબલ એનર્જી ગ્રીડ બનાવવાની પહેલ

આ સમયગાળા દરમિયાન, સાઉદી અને ભારત વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાને મધ્ય એશિયામાં સૌથી મોટી રિન્યુએબલ એનર્જી ગ્રીડ બનાવવા માટે કરાર થયો હતો. આ માટે ડીપ સી કેબલ નાખવાની પણ યોજના છે. ભારત અને સાઉદી અરેબિયા ટૂંક સમયમાં આ યોજનાને આકાર આપવા તરફ આગળ વધી રહ્યા છે. આ પ્રોજેક્ટ માત્ર ભારત અને સાઉદી અરેબિયાની જ નહીં, પરંતુ સમગ્ર મધ્ય એશિયાની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરશે. આ પહેલ ભારતમાં સાઉદી અરેબિયાના તત્કાલિન રાજદૂત સાલેહ-બિન-ઈદ અલ હુસૈની દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : એર ઈન્ડિયા-વિસ્તારા મર્જરની પ્રક્રિયા શરૂ, મર્જર આ વર્ષ સુધીમાં થઈ જશે પૂર્ણ..

બંને દેશો વચ્ચેની ભાગીદારી ત્યારે નવી ઊંચાઈએ પહોંચી જ્યારે ફેબ્રુઆરી 2019માં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન નવી દિલ્હી આવ્યા હતા અને ત્યારબાદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2019માં સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થઈ. આ પછી, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ભારત અને સાઉદી અરેબિયાને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થામાં સૌથી મહત્ત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યા હતા.

અસૈન્ય પરમાણુ ઊર્જા કરારને આગળ વધારવા માંગે છે અમેરિકા

વિશ્વની ઉર્જા જરૂરિયાતોને જોતા સાઉદી અરેબિયાની જેમ અમેરિકા પણ ભારત સાથે ઉર્જા ભાગીદારીને નવો દરજ્જો આપવા માંગે છે. બાઇડન વહીવટીતંત્ર 2008માં ભારત-યુએસ નાગરિક પરમાણુ ઊર્જા કરારને ફરીથી આગળ વધારવા માંગે છે, જે વિવિધ ગૂંચવણોને કારણે આગળ વધી શક્યું ન હતું. ઉર્જાની જરૂરિયાતોને સમજીને, ભારત અને અમેરિકા બંને હવે નવીન સુધારા સાથે આ નાગરિક પરમાણુ ઊર્જા કરાર પર આગળ વધવા માંગે છે. જેથી કરીને ભારત અને અમેરિકાની સાથે વિશ્વના અન્ય દેશોની ઉર્જા જરૂરિયાતો પણ પૂરી કરી શકાય. વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે, વિશ્વના શક્તિશાળી દેશોને માત્ર ભારતમાં જ એવી સંભાવનાઓ દેખાઈ રહી છે, જે વિશ્વને ઉર્જા સંકટમાંથી બહાર કાઢવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More