Site icon News Continuous Bureau | Mumbai

India-Maldives row: ભારત માલદીવ વચ્ચેના વિવાદ વચ્ચે, હવે વ્યાપારી સંસ્થાઓએ લીધો આ મોટો નિર્ણય..

India-Maldives row: તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર માલદીવના એક મંત્રી દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના જવાબમાં માલદીવ સાથેના વેપાર સંબંધોને કામચલાઉ સ્થગિત કરવાની હાકલ કરીને દિલ્હીમાં આ મામલા અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

India-Maldives row Amidst the dispute between India and Maldives, CAIT business organization have taken this big decision.

India-Maldives row Amidst the dispute between India and Maldives, CAIT business organization have taken this big decision.

News Continuous Bureau | Mumbai

India-Maldives row: કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ( CAIT) એ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) પર માલદીવના એક મંત્રી દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના જવાબમાં માલદીવ સાથેના વેપાર સંબંધોને ( trade relations ) કામચલાઉ સ્થગિત કરવાની હાકલ કરીને દિલ્હીમાં આ મામલા અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

Join Our WhatsApp Channel

પ્રાપ્ત માહિતી અનુસાર, વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા પ્રદર્શનકારીઓએ અહીં ‘માલદીવ્સ ( Maldives ) સાથે વેપાર ( business ) સ્થગિત કરો’ સંદેશ સાથે બેનરો પકડ્યા હતા, જેમાં પીએમ મોદી પ્રત્યે કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓ પર તેમનો અસંતોષ અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ વેપારીઓ આ મામલે કહ્યું હતું કે આ કામચલાઉ સ્થગિત વેપાર વિરામ, માલદીવને એક મજબૂત સંદેશ મોકલશે, તેમ જ અન્ય દેશના રાજદ્વારી આદર અને સહકારના મહત્વને પ્રકાશિત કરશે.

નોંધનીય છે કે, આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પીએમ મોદીએ લક્ષદ્વીપ ટાપુઓની ( Lakshadweep Islands ) તેમની તાજેતરની મુલાકાતની તસવીરો શેર કરી હતી, જેણે માલદીવના સાંસદોનું ધ્યાન ખેંચ્યું હતું. જે માદ ત્યાંની એક મહિલા સાંસદે આ પોસ્ટ પર વડાપ્રધાન સામે વાંધાજનક ટિપ્પણી ( Offensive comment ) કરી હતી. જે બાદ આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ હતી. જેમાં ઘણી સેલિબ્રિટીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સે આ ટિપ્પણીની નિંદા કરી અને લોકોને ભારતમાં સુંદર સ્થળોની મુલાકાત લેવા વિનંતી કરી, જે ભારત દેશમાં પ્રવાસનને વેગ આપશે.

આ સમાચાર પણ વાંચો :  Rahul Dravid: 11 જાન્યુઆરી 1973માં જન્મેલા રાહુલ શરદ દ્રવિડ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય રાષ્ટ્રીય ટીમના કેપ્ટન છે, જે હાલમાં તેના મુખ્ય કોચ તરીકે સેવા આપી રહ્યા છે.

વેપાર સ્થગિત એ એક અસ્થાયી પગલું છે…

એક અહેવાલ મુજબ વેપારીઓએ આ અંગે પ્રકાશ પાડ્યો હતો કે વિરોધનો હેતુ પરસ્પર આદર પર આધારિત રાજદ્વારી સંબંધોને પ્રોત્સાહન આપવાના મહત્વને પ્રકાશિત કરવાનો છે. તેમજ આ મુદ્દે માલદીવ સરકારે યોગ્ય પગલા લેવાની પણ વિનંતી કરવામાં આવી હતી. વધુમાં આ અંગે કહ્યં હતું કે, અમે અમારા વડા પ્રધાન વિરુદ્ધ કોઈપણ અપમાનજનક ટિપ્પણીની નિંદા કરવા માટે એકજૂટ છીએ. વેપાર સ્થગિત કરવો એ અમારી તીવ્ર નારાજગી વ્યક્ત કરવા અને રાજદ્વારી ચર્ચાઓમાં આદરની માંગ કરવા માટે એક પ્રતીકાત્મક પગલું છે.”

પ્રાપ્ત માહિતી અનુસાર વેપાર સ્થગિત એ એક અસ્થાયી પગલું છે, જે પરિસ્થિતિની ગંભીરતાને પ્રતિબિંબિત કરે છે અને સંવાદ દ્વારા ઝડપી નિરાકરણને પ્રોત્સાહિત કરે છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી માધ્યમો આ મુદ્દાને તાત્કાલિક ઉકેલશે.

(Disclaimer : અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. )  

INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Rafale Jet Claims પાકિસ્તાનનો વધુ એક જૂઠ્ઠાણો પકડાયો રાફેલ તોડી પાડવાના દાવા પર વાયુસેનાનો કરારો જવાબ.
NHAI Toll Pass રોજરોજની ઝંઝટ ખતમ! NHAI લાવી ૩૫૦ રૂપિયાનો ડિજિટલ લોકલ પાસ, આ રીતે મિનિટોમાં કરો અરજી.
New Cheque Book Rules શું તમારી પાસે પણ છે જૂની ચેકબુક? બેન્કોના નવા નિયમથી નહીં થાય લેણદેણ, ફટાફટ કરી લો આ કામ.
Exit mobile version