Site icon News Continuous Bureau

Economy: ભારત 2047 સુધીમાં $35 ટ્રિલિયન, સંપૂર્ણ વિકસિત અર્થતંત્ર બનવાના માર્ગ પર: શ્રી પીયૂષ ગોયલ

Economy: કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલે નવી દિલ્હીમાં 19 લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોના 35 પત્રકારોને સંબોધિત કર્યા. 2014માં તૂટેલી અર્થવ્યવસ્થા વારસામાં મળી, હવે વિશ્વમાં 3જી સૌથી મોટી જીડીપી બનવાના માર્ગ પર છે: શ્રી પિયુષ ગોયલ ભારતની વિકાસ ગાથા પર.

India on track to become $35 trillion, fully developed economy by 2047 Shri Piyush Goyal

India on track to become $35 trillion, fully developed economy by 2047 Shri Piyush Goyal

Economy: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે વર્તમાન સરકારની મહત્વાકાંક્ષા 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાની છે અને આ દિશામાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે નવી દિલ્હીમાં લેટિન અમેરિકન અને કેરેબિયનના 19 દેશોના 35 પત્રકારોના મીડિયા પ્રતિનિધિમંડળને સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે સરકારની મહત્વાકાંક્ષા વર્તમાન 3.7 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાને વધારીને 2047 સુધીમાં 30-35 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની અને રાષ્ટ્રની ખાદ્ય અને ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે.

શ્રી ગોયલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ટ્વીન ટ્રેકના અવિરત પ્રયાસ – દેશને ભવિષ્ય માટે તૈયાર કરવા અને ખોરાક, આરોગ્ય સંભાળ અને શિક્ષણને લગતા ગરીબોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ભારતના મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સને મજબૂત બનાવવું-ને બિરદાવ્યો. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં સુશાસન સાથે ગરીબોના કલ્યાણ સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સર્વગ્રાહી દ્રષ્ટિએ ભારતને વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ફેરવવામાં મદદ કરી છે અને તે 2027 સુધીમાં 3જી સૌથી મોટી જીડીપી બનવાના માર્ગ પર છે.

Join Our WhatsApp Community

શ્રી ગોયલે જણાવ્યું હતું કે વર્તમાન સરકારે દેશના મેક્રો ઇકોનોમિક્સમાં પરિવર્તન પૂર્ણ કર્યું છે અને 2014થી બે વખત વિદેશી હૂંડિયામણ ભંડાર વિશ્વમાં 4થું સૌથી મોટું છે અને હુંડિયામણ વિકાસશીલ દેશોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે. શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારતે આઝાદીના છેલ્લા 75 વર્ષોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા દાયકાનો સાક્ષી બનાવ્યો છે અને છેલ્લા 12 વર્ષમાં ફુગાવો અડધો થઈ ગયો છે જેનાથી અર્થતંત્રને વ્યાજ દરો અંકુશમાં રહેવાથી ફાયદો થયો છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે 2014માં જ્યારે તેઓ સ્પષ્ટ જનાદેશ સાથે સત્તામાં આવ્યા ત્યારે સરકારને તૂટેલી અર્થવ્યવસ્થા વારસામાં મળી હતી. “અમને તૂટેલી અર્થવ્યવસ્થા વારસામાં મળી હતી, ખૂબ તકલીફ હતી અને ભારતની વૃદ્ધિની ગાથા અને ભૂરાજનૈતિક સ્થિતિમાં ભૂમિકા ભજવવામાં વિશ્વભરમાં નબળી પ્રતિષ્ઠા હતી.”, શ્રી ગોયલે કહ્યું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Noida Workers’ Protest: નોઈડામાં મજૂર આક્રોશનું અસલી કારણ શું? વેતન વધારો અને ગ્રેજ્યુઇટી સહિતની આ માંગણીઓ પર મચ્યો છે સંગ્રામ
Trump Effect on Oil Prices:ટ્રમ્પનો ‘પાવર પ્લે’ અને જનતાની હાલત કફોડી! તેલના ભાવ વધવાના સંકેતથી આખું વિશ્વ ચિંતામાં, ભારત પર શું થશે અસર?
Wheat Crop India :ઘઉંની નવી સિઝનના પ્રારંભે જ માવઠાંનો માર અને નિકાસ બેહાલ
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ: ઈરાન-અમેરિકા તણાવની સીધી અસર, જાણો મુંબઈ-અમદાવાદ સહિતના શહેરોના લેટેસ્ટ ભાવ
Exit mobile version