News Continuous Bureau | Mumbai
ઘઉંની નિકાસ(Wheat exports) પર પ્રતિબંધ(Prohibition) મૂક્યા બાદ હવે ભારત સરકારે(Government of India) ઘઉંના લોટ(Wheat flour) અને તેના જેવી અન્ય પ્રોડક્ટો નિકાસ પર પણ કડક અંકુશો લાદ્યા છે.
સરકારે ઘઉંના લોટની નિકાસ માટે તમામ નિકાસકારોએ(Exporters) હવે ઇન્ટર મિનિસ્ટ્રિયલ કમિટી ઓન વ્હિટ એક્સપોર્ટ્સ(Inter-Ministerial Committee on Wheat Exports) પાસેથી પૂર્વ મંજૂરી લેવી પડશે.
એટલે કે સરકારે ઘઉંના લોટ, મેંદા(Maida), સોજીની નિકાસ(Semolina) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી પરંતુ તેની કમિટી પાસેથી પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનાવી છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડએ(Directorate General of Foreign Trade) જારી કરેલા નોટિફિકેશન મુજબ આ નવા અંકુશો 12મી જુલાઇથી લાગુ થશે.
ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લદાયા બાદ લોટની નિકાસમાં(Flour exports) જંગી વધારો થતા સરકારે આ નિર્ણય લીધો છે.
આ સમાચાર પણ વાંચો : માર્કેટ મજામાં- શેરબજારની મજબૂત શરૂઆત- સેન્સેક્સ-નિફ્ટીમાં આવ્યો આટલા અંકનો ઉછાળો