ખાદ્ય તેલના ભાવમાં થશે ઘટાડો! સરકારે સોયાબિન અને સનફ્લાવર તેલને ટેક્સમાંથી આ તારીખ સુધી આપી મુક્તિ

સરકારે TRQ ક્વોટા હેઠળ ક્રૂડ સોયાબીન અને સનફ્લાવર સીડ ઓઈલ પર 30 જૂન સુધી કસ્ટમ ડ્યુટી અને સેસ માફ કરવાની જાહેરાત કરી છે. પોર્ટ પર અટવાયેલા ક્રૂડ સોયા અને સનફ્લાવર ઓઈલને પણ લેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવી હતી ભાવ વધુ ઘટી શકે છે, સાવચેતીથી ખરીદો: શંકર ઠક્કર

by kalpana Verat
India to allow duty free imports of sunoil, soyoil until June 30

   News Continuous Bureau | Mumbai

ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT), મહારાષ્ટ્ર સ્ટેટના જનરલ સેક્રેટરી શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે,  ગઈકાલે મોડી રાત્રે ભારતના નાણા મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે ક્રૂડ સોયાબીન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર સીડ ઓઈલને અમુક શરતોને આધીન આગામી 50 દિવસ માટે કસ્ટમ ડ્યુટી, કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસમાંથી મુક્તિ આપવામાં આવી છે.

નોટિફિકેશનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે ક્રૂડ સોયાબીન તેલ, પછી ભલે તે ડિગમ્ડ હોય કે ન હોય અને ક્રૂડ સનફ્લાવર સીડ ઓઈલ, જ્યારે ભારતમાં આયાત કરવામાં આવે ત્યારે તેને સંપૂર્ણ કસ્ટમ ડ્યુટી અને કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસમાંથી મુક્તિ આપવામાં આવશે. આ નોટિફિકેશન 11 મેથી અમલમાં આવ્યું છે અને 30 જૂન સુધી અમલમાં રહેશે.

આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષ: સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ઉદ્ધવ ઠાકરેની પ્રતિક્રિયા, કહ્યું- શિંદે-ફડણવીસમાં નૈતિકતા હોય તો મારી જેમ કરે આ કામ…

નોટિફિકેશનમાં મુક્તિ માટેની શરતો નિર્ધારિત કરવામાં આવી છે. આયાતકારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા ફાળવેલ નાણાકીય વર્ષ 2022-23 માટે ડેપ્યુટી કમિશનર અથવા કસ્ટમ્સ આસિસ્ટન્ટ કમિશનરને માન્ય ટેરિફ રેટ ક્વોટા અધિકૃતતા સબમિટ કરવી પડશે.

TRQ અધિકૃતતા DGFT દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે જારી કરવામાં આવશે અને ICES સિસ્ટમમાં ટ્રાન્સમિટ કરવામાં આવશે. નોટિફિકેશન જણાવે છે કે TRQ સામે કરવામાં આવેલી આયાતને ICES સિસ્ટમમાં ઇલેક્ટ્રોનિક રીતે ડેબિટ કરવામાં આવે તો જ મંજૂરી આપવામાં આવશે.

બીજી તરફ, સરકારે પોર્ટ પર લાંબા સમયથી અટવાયેલા સોયા અને સનફ્લાવર ઓઈલને ઉતારવાની મંજૂરી આપી છે. આ કાર્ગોને જૂના TRQ હેઠળ જ ક્લિયર કરવામાં આવશે. લગભગ 1.50 લાખ ટન સોયા અને 1.80 લાખ ટન સૂર્યમુખી તેલનો કાર્ગો બંદર પર અટવાયેલો છે. જેમની પાસે 31મી માર્ચ પહેલા એલસી છે તેઓ 30મી જૂન સુધી માલ મંગાવી શકે છે. આ બંને સમાચારોને કારણે બજાર ઘણું દબાણ હેઠળ છે, તેથી નવી ખરીદી સમજી વિચારીને કરવી જોઈએ.

ફેડરેશનના જનરલ સેક્રેટરી તરુણ જૈને કહ્યું કે આ સમાચારથી બજાર ખૂબ જ ગભરાઈ ગયું છે. છેલ્લા 2 મહિનામાં માર્કેટમાં સતત ઘટાડાને કારણે સેન્ટિમેન્ટ ખરાબ હતું અને આ સમાચાર તેના પર વધુ દબાણ કરશે.

આ સમાચાર પણ વાંચો: રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર ભુજ 46.3 ડીગ્રી તાપમાન, સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી, જાણો ગુજરાતના બીજા શહેરોમાં તાપમાન કેટલું છે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More