India-UAE bilateral trade : ભારત અને યુએઈ દ્વિપક્ષીય વેપારને 100 અબજ અમેરિકન ડોલર સુધી વિસ્તૃત કરવાની આકાંક્ષા ધરાવે છેઃ શ્રી પિયુષ ગોયલ

India-UAE bilateral trade : શ્રી ગોયલે વિવિધ ક્ષેત્રોમાં યુએઈ-ભારત વચ્ચે વ્યાવસાયિક સંબંધોને મજબૂત કરવામાં તેમની મુખ્ય ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો, જેમાં સુલતાન અહમદ બિન સુલેમના માર્ગદર્શન હેઠળ જેબેલ અલી ફ્રી ઝોનમાં ભારત પાર્કની સ્થાપના કરવાની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ પહેલથી બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપાર માટે અસંખ્ય તકો ખુલશે અને તેનાથી આગળ વધશે, જે ભારતની વૈશ્વિક દૃશ્યતાને નોંધપાત્ર રીતે વધારશે.

by kalpana Verat
India-UAE bilateral trade India and UAE aspire to expand bilateral trade to $100 billion Goyal

News Continuous Bureau | Mumbai 

India-UAE bilateral trade :

  • શ્રી ગોયલે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર જેવા ભારત-યુએઈ સહયોગ અને રૂપેને પ્રોત્સાહન આપવા અને રૂપિયા અને દિરહામ વચ્ચે સીધા વેપારને સુલભ બનાવવાની પહેલ પર પ્રકાશ પાડ્યો
  • યુએઈ-ભારત વચ્ચેની ભાગીદારીમાં વ્યાપક સંભાવનાઓનું તાળું ખોલશે યુએઈ ભારત બિઝનેસ સમિટઃ શ્રી ગોયલ
  • ભારત અને યુએઈની ભાગીદારી 21મી સદીનું નિર્ણાયક જોડાણ છે, જેનાં મૂળમાં સહિયારા ઇતિહાસ અને પારસ્પરિક પ્રગતિની આકાંક્ષાઓ છેઃ શ્રી ગોયલ
  • શ્રી ગોયલે ડબ્લ્યુટીઓ એમસી 13ની અધ્યક્ષતામાં ડૉ. થાનીના નેતૃત્વની પ્રશંસા કરી અને ભારત તરફથી સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપી
     

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તથા ટેક્સટાઇલ મંત્રી શ્રી પિયુષ ગોયલે ( Piyush Goyal ) જણાવ્યું હતું કે, ભારત ( India )  અને યુએઈ તેમના દ્વિપક્ષીય વેપારને 100 અબજ અમેરિકન ડોલર સુધી વિસ્તૃત કરવાની આકાંક્ષા ધરાવે છે. આજે ગુજરાતનાં ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ( Vibrant Gujarat Global summit ) ની 10મી એડિશનમાં આયોજિત ‘યુએઇ ઇન્ડિયા બિઝનેસ સમિટ’ને સંબોધતા મંત્રીશ્રીએ ભારત-યુએઇ ભાગીદારીનાં બહુપક્ષીય સ્વરૂપ પર ભાર મૂક્યો હતો, જેમાં અંતરિક્ષ સંશોધન, સુરક્ષા, શિક્ષણ અને ક્લાઇમેટ એક્શનમાં જોડાણ સામેલ છે.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે, બંને દેશો તેમની ભાગીદારીને વધારે ગાઢ બનાવવા માટે ઉદ્યોગ અને વેપાર-વાણિજ્ય પાસેથી નવી દરખાસ્તો શોધી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, ભારત યુએઈ વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (સીઇપીએ) હેઠળ દ્વિપક્ષીય વેપારમાં વધારો થયો છે. તેમણે ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર જેવા મુખ્ય જોડાણો અને રૂપેને પ્રોત્સાહન આપવા અને રૂપિયા અને દિરહામ વચ્ચે સીધા વેપારને સુલભ બનાવવાની પહેલ પર પણ પ્રકાશ પાડ્યો હતો.

દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની સંભાવનાથી આનંદિત, મંત્રીએ યુએઈ ઇન્ડિયા બિઝનેસ સમિટના મહત્વ પર ભાર મૂક્યો હતો, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે યુએઈ-ભારતની ભાગીદારી પ્રદાન કરે છે તે વિશાળ સંભવિતતાને ખોલવા માટેના એક મંચ તરીકે કામ કરે છે. તેમણે યુએઈના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અસાધારણ નેતૃત્ત્વની બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ ધપાવવાની પ્રશંસા કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Startup India Innovation Week 2024 : ડીપીઆઈઆઈટી દ્વારા 10થી 18 જાન્યુઆરી, 2024 સુધી સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીક 2024નું આયોજન કરવામાં આવ્યું

મંત્રીશ્રીએ નવી ભાગીદારીની શોધ, તકોની ઓળખ કરવા અને વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવાની અસીમ સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારત-યુએઈ ભાગીદારીની કલ્પના 21મી સદીનાં નિર્ણાયક જોડાણ તરીકે કરી હતી, જેનાં મૂળમાં સહિયારા ઇતિહાસ અને પારસ્પરિક પ્રગતિની આકાંક્ષાઓ રહેલી છે.

શ્રી ગોયલે યુએઈનાં વિદેશ વેપાર રાજ્ય મંત્રી મહામહિમ ડૉ. થાની બિન અહમદ અલ ઝ્યોડીનો આભાર માન્યો હતો. અને ભારત અને યુએઈ વચ્ચે સ્થાયી મૈત્રીપૂર્ણ સંબંધોને વેગ આપવા માટે તેમનાં અમૂલ્ય પ્રદાન બદલ ડીપી વર્લ્ડ ગ્રૂપનાં ચેરમેન અને સીઇઓ સુલતાન અહમદ બિન સુલેયમ સામેલ છે.

શ્રી ગોયલે વિવિધ ક્ષેત્રોમાં યુએઈ-ભારત વચ્ચે વ્યાવસાયિક સંબંધોને મજબૂત કરવામાં તેમની મુખ્ય ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો, જેમાં સુલતાન અહમદ બિન સુલેમના માર્ગદર્શન હેઠળ જેબેલ અલી ફ્રી ઝોનમાં ભારત પાર્કની સ્થાપના કરવાની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ પહેલથી બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપાર માટે અસંખ્ય તકો ખુલશે અને તેનાથી આગળ વધશે, જે ભારતની વૈશ્વિક દૃશ્યતાને નોંધપાત્ર રીતે વધારશે.

મંત્રીએ અબુ ધાબી ચેમ્બર ઑફ કોમર્સનાં વાઇસ ચેરમેન યુસુફ અલી અબ્દુલકાદરનાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનાં પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો અને કાશ્મીરમાં શોપિંગ મોલની સ્થાપના જેવા ભારતની વિકાસગાથામાં થઈ રહેલાં નોંધપાત્ર રોકાણોનો ઉલ્લેખ કર્યો હતો.

દેશો વચ્ચે વધી રહેલા સંરક્ષણ, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો તરફ ધ્યાન દોરતા શ્રી ગોયલે યુએઈની રાજકીય સ્થિરતા, વ્યાપારને અનુકૂળ નીતિઓ અને માળખાગત પ્રગતિની પારસ્પરિક વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે અનુકૂળ પરિબળો તરીકે પ્રશંસા કરી હતી.

શ્રી પિયુષ ગોયલે ફેબ્રુઆરીમાં અબુ ધાબીમાં આયોજિત વિશ્વ વેપાર સંગઠનનાં મંત્રીસ્તરીય સંમેલન 13ની અધ્યક્ષતામાં ડૉ. થાનીનાં નેતૃત્વની પ્રશંસા કરી હતી તથા તેની સફળતા સુનિશ્ચિત કરવામાં ભારત તરફથી સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપી હતી.

ભારતના વસતિવિષયક લાભ અને તેની યુવા, મહત્ત્વાકાંક્ષી વસતિને ટાંકીને મંત્રીશ્રીએ રોકાણકારોને ભારતની વિકાસગાથામાં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું અને 1.4 અબજ લોકોનાં સ્વપ્નો અને આકાંક્ષાઓમાં નોંધપાત્ર વળતર આપવાની અને પ્રદાન કરવાની રાષ્ટ્રની સંભવિતતા પર ભાર મૂક્યો હતો.

અવિરત આશાવાદ અને ભવિષ્ય માટે સહિયારા વિઝનની નોંધના સમાપનમાં મંત્રીશ્રીએ ભારત અને યુએઈની સ્થાયી ભાગીદારીનું નિર્માણ કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, જેની બંને દેશો પર કાયમી અસર પડશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More