Site icon

Jag Laadki Ship India Return: સમુદ્રમાં જયશંકરનો જાદુ! ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનું તેલ જહાજ સુરક્ષિત રવાના, ભારતીય નૌસેનાની દેખરેખ હેઠળ મિશન ‘જગ લાડકી’ શરૂ

હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય દબદબો: ફુજૈરા ઓઈલ ટર્મિનલ પર હુમલા છતાં ભારતીય જહાજ અને નાવિકો સુરક્ષિત, શિવાલિક અને નંદા દેવી બાદ વધુ એક મોટી સફળતા.

Jag Laadki Ship India Return સમુદ્રમાં જયશંકરનો જાદુ! ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનું તેલ

Jag Laadki Ship India Return સમુદ્રમાં જયશંકરનો જાદુ! ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનું તેલ

News Continuous Bureau | Mumbai
Jag Laadki Ship India Return ઈરાન અને પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલા યુદ્ધની જ્વાળાઓ વચ્ચે ભારતે ફરી એકવાર પોતાની વ્યૂહાત્મક શક્તિ સાબિત કરી છે. હોર્મુઝની સામુદ્રધુની માં ફસાયેલા વૈશ્વિક પરિવહન વચ્ચે ભારતનું કાચું તેલ લઈને આવી રહેલું જહાજ ‘જગ લાડકી’ (Jag Laadki) સુરક્ષિત રીતે ભારત આવવા રવાના થઈ ગયું છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈરાન તેમજ આરબ દેશોના ટોચના નેતૃત્વ સાથેની વાતચીતને પગલે ભારતીય જહાજો માટે આ જોખમી માર્ગ ખુલ્લો થયો છે.ભારતીય નૌસેના આ જહાજને એસ્કોર્ટ કરી રહી છે જેથી કોઈ પણ પ્રકારના સંભવિત ખતરાને નિષ્ફળ બનાવી શકાય. આ જહાજ પર આશરે 80,800 મેટ્રિક ટન ‘મુરબન’ કાચું તેલ લદાયેલું છે.

ફુજૈરા ટર્મિનલ પર હુમલા છતાં ‘જગ લાડકી’ સુરક્ષિત

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 14 માર્ચ 2026ના રોજ જ્યારે ‘જગ લાડકી’ જહાજ સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરા તેલ ટર્મિનલ પર તેલ લોડ કરી રહ્યું હતું, ત્યારે ત્યાં હુમલો થયો હતો. આ ભયાનક હુમલા છતાં જહાજ અને તેના પર સવાર તમામ ભારતીય નાવિકો સુરક્ષિત રહ્યા હતા. રવિવારે સવારે આ જહાજ ભારત આવવા નીકળી ગયું છે અને હોર્મુઝ પાર કરીને ભારતીય બંદરો પર પહોંચશે.

Join Our WhatsApp Community

શિવાલિક અને નંદા દેવી પણ વતન પરત ફરવાના માર્ગે

માત્ર ‘જગ લાડકી’ જ નહીં, પરંતુ અન્ય બે ભારતીય ગેસ કેરિયર જહાજો ‘શિવાલિક’ (Shivalik) અને ‘નંદા દેવી’ (Nanda Devi) પણ હોર્મુઝની સામુદ્રધુની સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યા છે. આ બંને જહાજો પર કુલ 92,712 મેટ્રિક ટન LPG લદાયેલો છે.
શિવાલિક: 16 માર્ચ સોમવારે મુન્દ્રા બંદર (ગુજરાત) પહોંચશે.
નંદા દેવી: 17 માર્ચ બુધવારે કંડલા બંદર પર લંગરશે.

આ સમાચાર પણ વાંચો : Iran-US Conflict: ઈરાનનો મોટો દાવો- અમેરિકા વિરુદ્ધ રશિયા અને ચીન આપશે સૈન્ય સાથ; જાણો પશ્ચિમી દેશોમાં કેમ મચ્યો હડકંપ’

22 ભારતીય જહાજો અને 611 નાવિકો પર સતત દેખરેખ

હાલમાં ફારસની ખાડીના પશ્ચિમ વિસ્તારમાં ભારતીય ધ્વજ ધરાવતા 22 જહાજો હાજર છે, જેમાં 611 ભારતીય નાવિકો ફરજ બજાવી રહ્યા છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (DG Shipping) દ્વારા આ તમામ જહાજોની ક્ષણે-ક્ષણની દેખરેખ રાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 276 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. સરકારે દેશના તમામ મુખ્ય બંદરોને પણ એલર્ટ રહેવા અને જહાજોની અવરજવર પર નજર રાખવા સૂચના આપી છે

Gold Rate Today: સોનાના ભાવમાં ₹૧,૮૦૦નો મસમોટો ઘટાડો, ચાંદી પણ સસ્તી થઈ; યુદ્ધ વચ્ચે કેમ ઘટ્યા ભાવ? વાંચો સંપૂર્ણ વિશ્લેષણ
Anil Ambani ED Case: અનિલ અંબાણી ગ્રુપ પર EDનો ગાળિયો કસાયો: 13 રાજ્યોમાં ₹581 કરોડની 31 મિલકતો જપ્ત
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક
Exit mobile version