અધધધ..!!! કોરોના ખાનગી બેન્કોને નડ્યો નથી .. ઉલ્ટાનું 159% નો મહત્તમ નફો નોંધાવ્યો છે.. જાણો વિગત..

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
04 નવેમ્બર 2020 
ભારતીય ખાનગી બેન્કોએ ઓછામાં ઓછું હમણાં સુધી કોવિડ -19 રોગચાળાને લીધે આવેલા ગંભીર આર્થિક આંચકાઓ જોયા છે. ચોખ્ખી વ્યાજની આવક (એનઆઈઆઈ) માં સતત વૃદ્ધિ અને જોગવાઈઓમાં સંકોચનને સમર્થન આપીને, ખાનગી બેન્કો જુલાઈ-સપ્ટેમ્બર 2020 ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટર માં રૂ. 18,814 કરોડના ચોખ્ખા નફામાં (વાર્ષિક ધોરણે) 159 ટકા વૃદ્ધિ નોંધાવી છે. 


ભારતીય ખાનગી બેંકોને કોરોના વાયરસ અને તેને રોકવા લાગુ કરેલ લોકડાઉનની પ્રતિકૂળ અસર થઇ નથી. બેંકોએ પ્રથમ વર્ષના બીજા ક્વાર્ટરમાં 159 ટકા એટલે કે 18,814 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. સપ્ટેમ્બરમાં નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 15 ટકા વધીને 52,101 કરોડ રૂપિયા થઇ ગઈ હતી. બીજી તરફ જોગવાઇ અને આકસ્મિકતા 4.2 ટકા ઘટીને 18,414 કરોડ રૂપિયા થઇ ગઈ હતી. આમ તમામ બેંકોએ પ્રોફિટ આફ્ટર ટેક્સ બાદ આ નફો નોંધાવ્યો હતો. જ્યારે બે બેંકો એક્સિસ અને આઈડીબીઆઈ બેંકે નાણાંકીય વર્ષ 20ના બીજા ક્વાર્ટરમાં ખોટ નોંધાવી છે. પ્રથમ ક્વાર્ટરની સરખામણીએ પ્રોફિટ આફ્ટર ટેક્સમાં 33.2 ટકાનો વધારો થયો છે.

ICRAના ઉપાધ્યક્ષ અને ફાઇનાન્સિયલ સેક્ટર રેટિંગ્સના ઉપાધ્યક્ષએ કહ્યું હતું કે સપ્ટેમ્બરમાં કલેક્શન 95 ટકા રહ્યું છે. ઉધાર લેનારાઓ સાથે જ સમયસરના ફોલો-અપથી કલેક્શન વધ્યું છે. આ ઉપરાંત અમુક લોનધારકોએ મોરોંટોરિયમનો વિકલ્પ પસંદ કરેલ હતો તેઓએ અમુક ઈએમઆઈની ચુકવણી કરી હતી. જેને પગલે ખાનગી બેન્કોએ આટલો બધો નફો નોંધાવ્યો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More