Site icon News Continuous Bureau | Mumbai

ખુદાબક્ષો સામે રેલવેની લાલ આંખ.. ફોકટમાં ટ્રેનોમાં પ્રવાસ કરનારાઓ પાસેથી રેલવેએ એક વર્ષમાં વસુલ્યો અધધ આટલા કરોડનો દંડ

Indian Railways Fines 3.6 crore Ticketless Passengers In 2022-23, Earns Rs 2,200 Crore RTI

ખુદાબક્ષો સામે રેલવેની લાલ આંખ.. ફોકટમાં ટ્રેનમાં પ્રવાસ કરનારાઓ પાસેથી રેલવેએ એક વર્ષમાં વસુલ્યો અધધ આટલા કરોડનો દંડ

 News Continuous Bureau | Mumbai

ભારતીય રેલ્વે ને સમગ્ર દેશમાં એક સસ્તા અને સારા જાહેર પરિવહન વિકલ્પ તરીકે જોવામાં આવે છે. દેશભરમાં રેલવે નેટવર્કને કારણે મુસાફરો દ્વારા રેલવેને પસંદ કરવામાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ રેલવે મુસાફરો ભારતમાં છે. જો કે, તે જ સમયે, ટિકિટ વિના મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા મોટી છે. ગત નાણાકીય વર્ષમાં રેલવેએ ટિકિટ વિનાના મુસાફરો પાસેથી મોટી આવક મેળવી છે.

Join Our WhatsApp Channel

રેલવેએ 2022-23માં ખોટી ટિકિટ સાથે કે ટિકિટ વગર મુસાફરી કરતા 3.6 કરોડ મુસાફરોને પકડ્યા હતા. વર્ષ 2021-22ની સરખામણીમાં આવા મુસાફરોની સંખ્યામાં એક કરોડથી વધુનો વધારો થયો છે. માહિતી અધિકાર (RTI) હેઠળ મળેલા જવાબમાં આ માહિતી બહાર આવી છે. આરટીઆઈના જવાબ અનુસાર, 2019-2020માં 1.10 કરોડ લોકો ટિકિટ વિના અથવા ખોટી ટિકિટ સાથે મુસાફરી કરતા પકડાયા હતા, જ્યારે 2021-22માં આ સંખ્યા વધીને 2.7 કરોડ અને 2022-23માં 3.6 કરોડ થઈ ગઈ હતી. 2020-21માં કોવિડ-19 રોગચાળાની લહેર હતી. તે વર્ષે આ આંકડો 32.56 લાખ હતો.

આ સમાચાર પણ વાંચો :અરેરાટી.. 40 મગરોના ઘેરામાં 72 વર્ષીય વૃદ્ધ પડ્યા, મળ્યું દર્દનાક મોત, ટુકડામાં મળી લાશ..

મધ્યપ્રદેશના સામાજિક કાર્યકર્તા ચંદ્રશેખર ગૌર દ્વારા એક RTI ક્વેરી (RTI)ના જવાબમાં, રેલવેએ છેલ્લા ત્રણ વર્ષમાં આવા મુસાફરો પાસેથી વસૂલવામાં આવેલા દંડની રકમનો ખુલાસો કર્યો છે. રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ખોટી ટિકિટ પર મુસાફરી કરનારા, ટિકિટ વિના મુસાફરી કરનારા મુસાફરો પાસેથી નાણાકીય વર્ષ 2020-21માં 152 કરોડ રૂપિયા, 2021-22માં 1,574.73 કરોડ રૂપિયા અને 2022-23માં 2,260.05 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. વર્ષ 2022-23માં, રેલ્વે દ્વારા ટિકિટ વિના પકડાયેલા મુસાફરોની સંખ્યા ઘણા નાના દેશોની વસ્તી કરતા વધુ છે. ટિકિટ વિના મુસાફરી કરવી એ સજાપાત્ર ગુનો છે. ટિકિટ વિના મુસાફરી કરવા પર ભાડું અને 250 રૂપિયાનો દંડ લાગશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં રેલ્વે મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. તો બીજી તરફ તેના કરતા પણ ઓછી ટ્રેનો હોવાનું સામે આવ્યું છે. કોરોના મહામારી દરમિયાન ઘણી એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી હતી. તે એક્સપ્રેસ ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી ન હતી. પરિણામે રેલવેમાં ભીડમાં ભારે વધારો થયો છે. રજાના દિવસોમાં ભારે ભીડને કારણે આરક્ષિત કોચમાં સામાન્ય ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે. આમાં એવા મુસાફરોનો પણ સમાવેશ થાય છે જેમની ટિકિટ આરક્ષિત અથવા તાત્કાલિક ક્વોટામાંથી કન્ફર્મ થઈ નથી.

MetaCRED Strategic Deal ક્રેડમેટા ડીલ ડેટાની લાલચ નહીં, પણ બીજું કંઈક! ₹૮,૫૫૦ કરોડ રોકાણ પાછળની જુકરબર્ગની ગણતરી.
WhatsApp Leadership Update મેટામાં મોટો ફેરબદલ; કુણાલ શાહ બન્યા વ્હોટ્સએપના નવા ગ્લોબલ હેડ
IndiaUS Trade Deal ભારતઅમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર વાતચીત તેજ; બીટીએ (BTA) ના પ્રથમ તબક્કાનો માર્ગ મોકળો
India Sugar Export Block મીઠાશ પર મોંઘવારીનું ગ્રહણ? જાણો કેવી રીતે અલનીનો અને ઇથેનોલ પોલિસી ભારતના ખાંડ વેપારની કમર તોડશે
Exit mobile version