Palm Oil export : ઇન્ડોનેશિયાના આ પગલાથી પામ ઓઈલની કિંમતમાં ઘટાડો થશે, ગ્રાહકોને કિંમતમાં થોડી રાહત મળશે..

ઓલ ઈન્ડિયા એડીબલ ઓઇલ ટ્રેડર્સ ફેડરેશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT)ના જનરલ સેક્રેટરી શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયાના સૌથી મોટા તહેવારો પહેલા રાંધણ તેલની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને, કિંમતોને નિયંત્રિત કરવા માટે, ઇન્ડોનેશિયાની સરકાર નિકાસ પરમિટને અંકુશમાં લેવાની યોજના બનાવી રહી છે,

by Dr. Mayur Parikh
Indonesia to suspend some palm oil export permits

News Continuous Bureau | Mumbai

ઓલ ઈન્ડિયા એડીબલ ઓઇલ ટ્રેડર્સ ફેડરેશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT) ના જનરલ સેક્રેટરી શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયાના ( Indonesia  ) સૌથી મોટા તહેવારો પહેલા રાંધણ તેલની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને, કિંમતોને નિયંત્રિત કરવા માટે, ઇન્ડોનેશિયાની સરકાર નિકાસ પરમિટને અંકુશમાં લેવાની યોજના બનાવી રહી છે, જેની સીધી અસર ભારતમાં પામોલિન ( palm oil export ) અને અન્ય તેલના ભાવ પર પડશે.

ગત વર્ષે પણ ઇન્ડોનેશિયાએ તહેવારોની સિઝનમાં લોકોને ઓછા ભાવે રાંધણ તેલ મળી રહે તે માટે કિંમતોના વધારા પર અંકુશ લગાવ્યો હતો, ત્યારબાદ કિંમતો ઘણી હદ સુધી નિયંત્રણમાં આવી હતી, પરંતુ ભારતમાં તેની વિપરીત અસર જોવા મળે છે.

વરિષ્ઠ કેબિનેટ મંત્રી લુહુત પંડજૈતને તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું હતું કે, આગામી ઇસ્લામિક તહેવારો પહેલા રાંધણ તેલની વધતી કિંમતો વચ્ચે ઇન્ડોનેશિયા સ્થાનિક પુરવઠો સુરક્ષિત કરવા માટે પામ તેલની નિકાસ પરમિટ સ્થગિત કરશે.

તેમણે જણાવ્યું હતું કે પામ ઓઈલના નિકાસકારોએ ગયા વર્ષથી મોટા શિપમેન્ટ ક્વોટા એકઠા કર્યા હતા અને હવે સ્થાનિક બજારમાં સપ્લાય કરવા માટે તેમને ઓછું પ્રોત્સાહન મળ્યું છે. ઈન્ડોનેશિયા વિશ્વનું ટોચનું પામ ઓઈલ નિકાસકાર છે. પામ ઓઇલ એવી કંપનીઓને નિકાસ ક્વોટા આપે છે કે જેમણે સ્થાનિક બજારમાં તેમના ઉત્પાદનોનો એક હિસ્સો સ્થાનિક બજારની જવાબદારી (DMO) નામની નીતિ હેઠળ વેચ્યો છે. આવા નિકાસકારોને જ નિકાસ કરવાની પરવાનગી આપવામાં આવે છે. ડીએમઓ હાલમાં કંપનીઓને ઘરેલુ વેચાણ કરતા છ ગણા જથ્થાની નિકાસ કરવાની મંજૂરી આપે છે.

આ સમાચાર પણ વાંચો : આ શહેરમાં પ્રશાસને તંદુરી રોટી બનાવવા પર મૂક્યો પ્રતિબંધ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

મેરીટાઇમ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોઓર્ડિનેશન મિનિસ્ટ્રીના અધિકારી ફરમાન હિદાયતે જણાવ્યું હતું કે હાલના નિકાસ ક્વોટાનો લગભગ ત્રીજા ભાગનો ઉપયોગ કરી શકાશે. જ્યારે બાકીનો ઉપયોગ 1 મે પછી કરી શકાશે. ફરમાને જણાવ્યું હતું કે જાન્યુઆરીના અંત સુધીમાં નિકાસકારો પાસે લગભગ 5.9 મિલિયન ટન નિકાસ પરમિટ હતી. તેમણે કહ્યું કે નિકાસકારો સ્થાનિક બજારમાં પુરવઠો વધારીને તેમનો ક્વોટા વધારી શકે છે.

વેપાર મંત્રાલયે ગયા મહિને જણાવ્યું હતું કે પામ ઓઈલ કંપનીઓને એપ્રિલ સુધીમાં ઘરેલુ પુરવઠો વધારીને 450,000 ટન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જે અગાઉ 300,000 ટન હતો. સામાન્ય રીતે ઇસ્લામિક માસ રમઝાન અને ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી પહેલા ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થાય છે, જે આ વર્ષે એપ્રિલમાં આવે છે.

વૈશ્વિક ખાદ્યતેલ બજારોમાં ઉથલપાથલ છે કારણ કે પામ તેલનો ઉપયોગ હવે સૌંદર્ય પ્રસાધનો અને ઇંધણ માટે પણ થાય છે. તેની અસર તેમના ભાવ પર પણ પડશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More