Site icon

Inflation Rate: સરકાર-RBI મોંઘવારીના જોખમને લઈ સાવચેત, ખાદ્ય-ઊર્જાના ઊંચા ભાવને લીધે અનિશ્ચિતતાનો માહોલ

Inflation Rate: વધતી મોંઘવારી એ કોઈ પણ દેશના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે. ભારત દેશ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જો કે, કેન્દ્ર સરકાર અને આરબીઆઈ બંને આ સમસ્યા અંગે સતર્ક છે. અહેવાલ છે કે, આગામી વર્ષે ફરી મંદીનો ખતરો દેશ પર મંડરાઈ રહ્યો છે.

Inflation Rate: Govt, RBI on ‘high alert’ on inflation; rate hike transmission may temper demand

Inflation Rate: Govt, RBI on ‘high alert’ on inflation; rate hike transmission may temper demand

News Continuous Bureau | Mumbai

Inflation Rate: વધતી મોંઘવારી (Inflation) એ કોઈ પણ દેશના અર્થતંત્ર (Economy) માટે ચિંતાનો વિષય છે. ભારત દેશ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જો કે, કેન્દ્ર સરકાર (Central govt) અને આરબીઆઈ (RBI) બંને આ સમસ્યા અંગે સતર્ક છે. અહેવાલ છે કે, આગામી વર્ષે ફરી મંદીનો ખતરો દેશ પર મંડરાઈ રહ્યો છે. નાણા મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા ઓક્ટોબરના આર્થિક સમીક્ષા અહેવાલમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક ક્રૂડ ઓઈલ (Crude oil) ના ભાવમાં તાજેતરમાં નરમાઈ અને કોર ફુગાવામાં સતત ઘટાડાને કારણે ફુગાવાના દબાણને ઘટાડવામાં મદદ મળી છે. કેન્દ્રીય બેંક પણ આ સ્થિતિથી વાકેફ છે. તેના સૂચકાંકો અનુસાર, જો ઊંચા ભાવોમાંથી રાહત આપવા માટે વધુ જરૂર પડશે તો વ્યાજદરો વધુ વધી શકે છે.

Join Our WhatsApp Community

વૈશ્વિક મંદી (Global inflation) ના મોરચે, સમીક્ષા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે ખાદ્ય અને ઊર્જાના ઊંચા ભાવોથી અનિશ્ચિતતાનું જોખમ રહે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માલની નિકાસ ઘટવાને કારણે વૈશ્વિક વેપાર પર દબાણ આવવાની શક્યતા છે. આ તથ્યોને જોતાં સાલ 2024માં મંદીનું જોખમ મંડરાઈ છે. રિપોર્ટ અનુસાર, વૈશ્વિક મંદી દરમિયાન પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત છે. તેનું મુખ્ય કારણ સ્થાનિક સ્તરે માગમાં મજબૂતી છે.

આ સમાચાર પણ વાંચોઃ  Gandhinagar : ઉપરાષ્ટ્રપતિ આ તારીખે લેશે ગાંધીનગર, ગુજરાતની મુલાકાત

આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની શક્યતા

મીડિયા અહેવાલ અનુસાર, વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થા વાર્ષિક ધોરણે 80-100 બેસિસ પોઈન્ટ્સ ઘટી શકે છે. તેનું મુખ્ય કારણ નબળી વૈશ્વિક માગ હોવાનું કહેવાય છે. ઉપરાંત, અસમાન વરસાદ, સામાન્ય ચૂંટણીઓને કારણે સરકારી મૂડી ખર્ચની ગતિમાં સંભવિત મંદી અને નાણાકીય કઠોરતા પણ જીડીપીના આંકડાઓને અસર કરી શકે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version