News Continuous Bureau | Mumbai
લેટેસ્ટ માહિતી અનુસાર, છેલ્લા ત્રણ મહિના દરમિયાન અદાણીની કંપનીઓને આપવામાં આવેલી LIC લોનમાં ઘટાડો થયો છે.
નાણામંત્રીએ આ માહિતી આપી
નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનના અદાણી કંપનીમાં રોકાણ સંદર્ભેના આંકડાઓ વિશે માહિતી આપી. એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે લોકસભામાં જણાવ્યું હતું કે, અદાણી જૂથની કંપનીઓમાં LICનું ડેટ એક્સ્પોઝર 05 માર્ચે ઘટીને રૂ. 6,183 કરોડ થયું હતું. આ એક્સપોઝર 31 ડિસેમ્બર 2022ના રોજ રૂ. 6,347 કરોડ હતું.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય જીવન વીમા નિગમે માહિતી આપી છે કે 31 ડિસેમ્બર, 2022 અને માર્ચ 05, 2023ના રોજ અદાણી જૂથની કંપનીઓ પર તેનું દેવું એક્સપોઝર અનુક્રમે રૂ. 6,347.32 કરોડ અને રૂ. 6,182.64 કરોડ હતું.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં કડક કાયદો, કિલ્લાઓમાં દારૂ પીવા પર 3 મહિનાની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ
અદાણીની આ કંપનીઓને લોન
નાણામંત્રીના જવાબ મુજબ, અદાણી પોર્ટ્સ અને અદાણી ગ્રુપના સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (Adani Ports and SEZ) માં સૌથી વધુ રૂ. 5,388.60 કરોડનું એક્સ્પોઝર છે. એ જ રીતે અદાણી પાવર મુંદ્રા પાસે રૂ. 266 કરોડ, અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ ફેઝ-1 (Adani Power Maharashtra Ltd – Phase I) રૂ. 81.60 કરોડ, અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ ફેઝ-3 (Adani Power Maharashtra Ltd – Phase III) નું એક્સ્પોઝર છે. રૂ. 254.87 કરોડ, રાયગઢ એનર્જી જનરેશન લિમિટેડ રૂ. 45 કરોડ અને રાયપુર એનર્જન લિમિટેડ રૂ. 145.67 કરોડનું એક્સ્પોઝર ધરાવે છે.