ઉધોગપતિ મુકેશ અંબાણીને ઝટકો, સપ્ટેમ્બર મહિનામાં આટલા કરોડ ગ્રાહકોએ છોડ્યો જિયોનો સાથ; આ  કંપનીને મળ્યા 2.74 લાખ નવા ગ્રાહકો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 23 નવેમ્બર, 2021

મંગળવાર

મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની જીઓને સપ્ટેમ્બરમાં ઝટકો લાગ્યો છે.

ટ્રાઈએ તાજેતરમાં જાહેર કરેલા આંકડા પ્રમાણે જિઓ અને વોડાફોન આઈડિયાએ અનુક્રમે 1.9 કરોડ અને 10.77 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. તો ભારતી એરટેલે સપ્ટેમ્બરમાં 2.74 લાખ મોબાઈલ સબસ્ક્રાઈબર ઉમેર્યા છે

આ સાથે જિઓના ગ્રાહકોની સંખ્યા હવે 42.48 કરોડ રુપિયા થઈ છે અને વોડાફોન આઈડિયાના ગ્રાહકોની સંખ્યા 26.99 કરોડ થઈ છે.

એરટેલના ગ્રાહકોની સખ્યા વધીને 35.44 કરોડ થઈ છે. જે ઓગસ્ટ મહિનામાં 35.41 કરોડ હતી. 

ઉલ્લેખનીય છે કે ટેલિકોમ ઓપરેટર કંપનીઓએ પોતાના મોબાઈલ જોડાણ માટેના ચાર્જ પણ વધારવા માંડ્યા છે.

પરત ફર્યો કોરોના? વિશ્વના આ દેશમાં રોકાઈ રહ્યુ નથી મહામારીનું સંક્રમણ; છેલ્લા 24 કલાકમાં આટલા હજાર કેસ આવ્યા સામે 
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More